વિયેતનામથી ભારત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લવાયા

(એજન્સી)વિયેતનામ, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કે જેને વિયતનામના અનેક શહેરોમાં આયોજિત પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તેને આજે ભારત લવાયા છે. સારનાથ સ્થિત વિહારમાં સ્થાપિત પવિત્ર અવશેષો ૨મેના રોજ વિયતનામથી હો ચી મિન્હ શહેર પહોંચ્યા હતા.
વિયતનામમાં પ્રદર્શની દરમિયાન આદ્યાÂત્મક અનુભવ પછી તે અવશેષોને ૨ જૂનના રોજ વાયુસેનાના વિમાન દ્વારા ભારત લવાયા છે. આ અવસર પર વિયેતનામે સંયુક્ત રાષ્ટ્ર વેસાક દિવસના અવસર પર ભવ્ય સમારોહનું આયોજન કરાયુ હતું. જે માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને વિયેતનામ લઇ જવાયા હતા. વિયેતનામમાં આયોજિત પ્રર્દશનમાં ૧.૭ કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.
The Holy Buddha Relic from India arrived in #Vietnam, was taken to the Buddha Hall at the Vietnam Buddhist University for a sacred ceremony and then brought through a grand procession to Thanh Tam #Pagoda, where the Public Exposition of the Sacred Relic will take place.
તેઓનું કહેવુ છે કે આ એક આદ્યાÂત્મક અનુભવ હોય. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે વિયેતનામના દક્ષિણ ઉત્તરથી લઇને ઘણા પ્રતિષ્ઠિત સ્થાનો પરથી આ પસાર થયેલી આ યાત્રાએ કુલ ૧.૭૮ કરોડ શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા . શ્રદ્ધા અને સંસ્કૃતિની એકજૂથતા દર્શાવતા આ પ્રદર્શને આદ્યાÂત્મક ભક્તોને એક જૂથ કરવાનું કામ કર્યુ છે.
દિલ્હીમાં ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિના નેતૃત્વમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળએ ભારતીય સાધુ સંતો સાથે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના અધિકારીઓની હાજરીમાં આ અવશેષોને પાલમ વાયુ સેના સ્ટેશન પર ઓપચારિક રીતે પ્રાપ્ત કર્યું. મહત્વનું છે કે વિયેતનામમાં પહેલીવાર આવુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ગૌતમ બુદ્ધના પવિત્ર અવશેષોને ત્યાંથી પરત લાવીને દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સાર્વજનિક દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. અહીં સાધુ સંદો અને રાજકીય દળો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૪ જૂન બુધવારે આ અવશેષોને વારાણસીના રસ્તે સારનાથ લવાશે. ત્યાં મૂલગંધ કુટી વિહારમાં ઔપચારિક રૂપથી સ્થાપિત કરાશે.