ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી ૧૯૦ થયો

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને ૧૯૦ થઈ ગયો છે. જેમાં સૌથી વધુ ૧૩૧ કેસ માત્ર અમદાવાદમાંથી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે.
જેમાં અમદાવાદ કોર્પાેરેશનમાંથી ૧૩૧, રાજકોટ કોર્પાેરેશનમાંથી ૧૫, જામનગર કોર્પાેરેશનમાંથી ૧૦, મહેસાણામાંથી ૬, ગાંધીનગર કોર્પાેરેશનમાંથી ૫, ભાવનગર કોર્પાેરેશનમાંથી ૪, કચ્છમાંથી ૩, બનાસકાંઠામાંથી ૨, ખેડામાંથી ૨, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં ૧૯ મેના કોવિડ પોઝિટિવનો આંક ૭ હતો.
આમ, ૧૦ દિવસમાં કોવિડ પોઝિટિવનો આંક ૧૮૩ જેટલો વધી ગયો છે. કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે.
રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી.SS1MS