Western Times News

Gujarati News

૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથે નીકળેલી તિરંગા યાત્રાથી તિરંગામય બનતું આણંદ

“હર ઘર તિરંગા” અંતર્ગત આણંદ ખાતે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

આણંદ, સોમવાર :: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે આજે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથેની આ ભવ્ય તિરંગા યાત્રાને સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી મિલિંદ બાપના,  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ તેમજ અગ્રણીશ્રી રાજેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ તિરંગા યાત્રા ટાઉનહોલ, આણંદથી નીકળીને વિદ્યાનગર રોડ ખાતેથી પસાર થઈને, ભાઈકાકા સ્ટેચ્યુ થઇ, શાસ્ત્રી મેદાન ખાતે સમાપ્ત થઇ હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો, એન.સી.સી. કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.