Western Times News

Gujarati News

નવસારી રંગાયું તિરંગાના રંગે… Op. Sindoor બાદ નવસારીમાં તિરંગા યાત્રા યોજાઈ

#TirangaYatra #OperationSindoor

નવસારી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય કરાવ્યો છે. મા ભારતીના સપૂતોને વંદન કરવા નવસારી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિનો જુસ્સો બતાવ્યો હતો.

આ તિરંગા યાત્રામાં પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની અને જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત રાજકીય નેતૃત્વ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના નારાઓથી સમગ્ર નવસારી શહેર ગુંજી ઉઠ્યું હતું.

તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને આ દરમિયાન નાગરિકોએ બારીઓ અને છતો પરથી પુષ્પવર્ષા કરી હતી. યાત્રામાં ઉપસ્થિત નાગરિકોએ હાથમાં તિરંગા લહેરાવી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.

પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોનીએ આ અવસરે કહ્યું કે, “ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે જે પરાક્રમ બતાવ્યું છે તે બદલ આપણે ગૌરવ અનુભવીએ છીએ. આ તિરંગા યાત્રા થકી આપણે આપણા વીર જવાનોને સલામી આપીએ છીએ.”

જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહે જણાવ્યું કે, “આ તિરંગા યાત્રા રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ છે. આપણે સૌ એક થઈને દેશની સુરક્ષા માટે સદા તત્પર એવા આપણા સૈનિકોને વંદન કરીએ છીએ.”

આ તિરંગા યાત્રાને નવસારીના નાગરિકોએ ઉમળકાભેર આવકારી હતી અને સંપૂર્ણ શહેર તિરંગાના રંગમાં રંગાયું હતું. યાત્રા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતો અને નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

‘ઓપરેશન સિંદૂર’ના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી, ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે. સેનાના આ અપ્રતિમ સાહસના સમ્માન માટે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.