Western Times News

Gujarati News

મહાકુંભમેળામાં જવા માટે ભાવનગર અને અમદાવાદથી દોડશે બે સ્પેશિયલ ટ્રેન

File Photo

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-બનારસ વચ્ચે બે જોડી સ્પેશ્યલ ટ્રેનો

પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને,  સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) વચ્ચે  બે જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ અને ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.

1.   ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [10 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 05, 09, 14, 18, ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે. તેવી જ રીતેટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 06, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.

આ ટ્રેન બન્ને દિશાઓમાં મહેસાણાપાલનપુરઆબુરોડપિંડવાડાફાલનારાનીમારવાડબ્યાવરઅજમેરકિશનગઢજયપુરબાંદીકૂઈભરતપુરઆગ્રા ફોર્ટટુંડલાઈટાવાગોવિંદપુરીફતેહપુરપ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયરએસી 3-ટાયરસ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2.   ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશ્યલ [06 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09421 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 19, 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે. એ જ રીતેટ્રેન નંબર 09422 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 01:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20, 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓ માં ગાંધીનગર કેપિટલમહેસાણાપાલનપુરઆબુ રોડ, પિંડવાડા, ફાલના, રાનીમારવાડબ્યાવરઅજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરીફતેહપુરપ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયરએસી 3-ટાયરસ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

3.   ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [06 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ – બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી અને 16, 20 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. તેવી જ રીતેટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી અને 17, 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓ માં સુરેન્દ્રનગરવિરમગામમહેસાણાપાલનપુરઆબુ રોડ, પિંડવાડા, ફાલનારાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવાગોવિંદપુરીફતેહપુર પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયરએસી 3-ટાયરસ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09413, 09421 અને 09555 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી તમામ પીઆરએસ  કાઉન્ટર અને આઈ આર સી ટીસી વેબસાઇટ પર શરુ થશે . ટ્રેનોના સ્ટોપેજસમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

The ₹233 crore expansion of Prayagraj Airport, set to finish by December 2024, will increase passenger capacity from 350 to 2,050 per hour and expand the terminal area to 18,500 sqm. Upgrades include more parking bays, a new taxiway, night landing capability, and revamped infrastructure. Airlines plan 14 new flights for the Maha Kumbh (Jan–Feb 2025), expected to draw 400 million pilgrims.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.