લગ્નમાંથી પાછા ફરી રહેલા બે યુવકોનું કારની ટક્કરે મોત

કારચાલક નશામાં ધૂત હતો કે નહીં અથવા તો તેણે ડ્ગ્સ લીધું છે કે નહીં તે જોઈ રહી છે.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે શીલજ કેનાલ રોડ પર એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા છે. આમ શહેરમાં વધતી જતી ગતિના આતંકે વધુ બે યુવાનોના જીવ લીધા છે. અમદાવાદના નવરંગપુરા અને ચાંદખેડા બાદ હવે શીલજમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના રહેવાસી બે યુવાનો, સાળા-બનેવીના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલના નાંદોલી ગામના રહેવાસી વિશાલ ઠાકોર અને ડભોડા ગામના રહેવાસી ભગાજી ઠાકોર શિલાજ કેનાલ રોડ પરથી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અર્ટિગા કારના ચાલકે તેમને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બંનેનું મોત નીપજ્યું હતું. આ બંને યુવાનો લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
ઘટનાની માહિતી મળતાં જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી કાર ચાલકની તાત્કાલિક ધરપકડ કરી લીધી. જેનું નામ શૈલેષ પટેલ છે, જે સાણંદના મોડાસર ગામનો રહેવાસી છે. પોલીસ હવે તે ચકાસણી કરી રહી છે કે કારચાલક નશામાં ધૂત હતો કે નહીં અથવા તો તેણે ડ્ગ્સ લીધું છે કે નહીં તે જોઈ રહી છે.
પૈસાના અભિમાનમાં કે ડ્રગ્સના નશામાં બેદરકારીથી વાહન ચલાવીને બીજાના જીવન સાથે રમત રમનારા યુવાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આવા લોકો બેદરકારીથી વાહન ચલાવી રહ્યા છે જાણે તેમને નિર્દોષ લોકોના જીવનની કોઈ પરવા નથી. આવા લોકો બેદરકારીથી વાહન ચલાવી રહ્યા છે જાણે તેમને નિર્દોષ લોકોના જીવનની કોઈ પરવા નથી.