Western Times News

Gujarati News

કેરળના સાંસદ ભાજપના સુપર પ્રવક્તા, વિદેશમાં કોંગ્રસને બદનામ કરે છેઃ ઉદિત રાજ

 પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અગાઉ ક્યારેય ભારતે સર્જિકલ સ્ટ્રાઇક ન કરી હોવાનું થરૂરનું નિવેદન મોટું જુઠ્ઠાણું

નવી દિલ્હી,કોંગ્રેસ અને તેના નેતા શશિ થરૂર વચ્ચેનો વિવાદ ગુરુવારે વધુ વકર્યાે હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે થરૂર કોંગ્રેસ પરિવારનો હિસ્સો છે, પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક ૨૦૧૬માં પહેલી વાર કરવામાં આવી હતી તેવું તેમનું નિવેદન ભૂલભરેલું છે. હાલમાં પનામા અને અમેરિકા સહિત પાંચ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા થરૂર અને કોંગ્રેસના કેટલાંક નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓને જવાબ આપતા થરૂરે ગુરુવારે પનામાથી ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પાર ભારતીય બહાદુરી પ્રત્યેની તેમની કથિત અજ્ઞાનતાને કારણે કેટલાંક અતિઉત્સાહી લોકો ટીકા કરી રહી છે, પરંતુ તેઓ માત્ર આતંકવાદી હુમલાઓના બદલો વિશે વાત કરી રહ્યાં છે, અગાઉના યુદ્ધો વિશે નહીં.

ટીકાકારો અને ટ્રોલર્સ મારા વિચારો અને શબ્દોને તેમને યોગ્ય લાગે તેમ વિકૃત કરી શકે છે, પરંતુ તેમની પાસે કરવા માટે વધુ સારા કાર્યાે છે. જોકે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટીના નેતાઓમાં કોઈ વિખવાદ નથી. શશી થરૂર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને કોંગ્રેસ પરિવારનો ભાગ છે. જોકે સર્જિકલ સ્ટ્રાઈક વિશે તેમણે જે કહ્યું તે હકીકતમાં ખોટું હતું. કોંગ્રેસ પાર્ટીએ થરૂરના નિવેદનને સુધાર્યું છે.કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન અને અન્ય સ્થળોએ આતંકવાદીઓના અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક નિયમિતપણે કરાઈ હતી. વિદેશમાં કરેલા પ્રેઝન્ટેશન દરમિયાન શશિ થરૂરે કોંગ્રેસ સરકારે પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યાે ન હતો.

તેથી કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરા અને પાર્ટીના નેતા ઉદિત રાજ સહિત અનેક કોંગ્રેસ નેતાઓ થરૂરની આકરી ટીકા કરી હતી. થરુરને ભાજપના સુપર પ્રવક્તા ગણાવીને ઉદિત રાજે જણાવ્યું હતું કે વિદેશમાં મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળો કોંગ્રેસનું નામ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શશિ થરૂર કહે છે કે પીએમ મોદીના નેતૃત્વ પહેલા, ભારતે ક્યારેય ર્ન્ઝ્ર કે પાકિસ્તાન સાથેની કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી નથી. તે એક મોટું જૂઠાણું છે અને કોંગ્રેસના ઇતિહાસને નષ્ટ કરવાનું એક મોટું કાવતરું છે. ઉદિત રાજની આ ટિપ્પણીઓને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ઠ પર ફરીથી પોસ્ટ કરી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.