પહેલગામ હુમલા બાદ યુએસએ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

ન્યૂયોર્ક/વોશિંગ્ટન, પહેલગામ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ એક અપડેટેડ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકન નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદથી ૧૦ કિલોમીટરની અંદર મુસાફરી ન કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં ૨૬ લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
૨૦૧૯માં પુલવામા હુમલા પછી ખીણમાં થયેલા સૌથી ઘાતક હુમલામાંના એક દિવસ પછી અમેરિકાએ આ અપડેટેડ એડવાઈઝરી જાહેર કરી હતી.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની યુએસ નાગરિકો માટે અપડેટ કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી હુમલાઓ શક્ય છે.
જેથી (પૂર્વીય લદ્દાખ પ્રદેશ અને તેની રાજધાની લેહની મુલાકાતો સિવાય) આ રાજ્યની મુસાફરી કરવી નહીં. આ વિસ્તારમાં ક્યારેક ક્યારેક હિંસા થાય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર તે સામાન્ય છે.
કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ હિંસા થાય છે. અમેરિકાએ તેના નાગરિકોને સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને કારણે ભારત-પાકિસ્તાન સરહદથી ૧૦ કિલોમીટરની અંદર જવાનું ટાળવા પણ કહ્યું છે.SS1MS