૪ અબજ ડોલરનું એરક્રાફ્ટ MROનું હબ બનાવશેઃ પીએમ નરેન્દ્ર મોદી

File
ભારત ૨૦૩૦ સુધીમાં કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી G7 દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે
નવી દિલ્હી, દેશના સરળ કર માળખાં, સુનિયોજીત નિયમો તથા માળખાકીય સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓનો હવાલો આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક એવિએશન કંપનીઓને ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. દેશમાં ઉભરી રહેલાં એરક્રાફ્ટના મેઈન્ટેનન્સ, રિપેર તથા ઓવરહોલ (એમઆરઓ) સેક્ટર વિશે વાત કરી વડાપ્રધાને દેશને આ ક્ષેત્રનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના ભારતના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યાે હતો. ઉડ્ડયન ક્ષેત્રે વૃદ્ધિની વ્યૂહરચનાનો પુનરોચ્ચાર કરતાં વડાપ્રધાને ૨૦૩૦ સુધીમાં ૪ અબજ ડોલરનું એમઆરઓ હબ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રજૂ કર્યાે હતો.
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)ની ૮૧માં વાર્ષિક સાધારણ સભા તથા વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS)ના સત્રને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૧૪માં ભારતમાં એમઆરઓની ૯૬ સુવિધાઓ હતી, જે હાલમાં વધીને ૧૫૪ થઈ છે. આ સિવાય ઓટોમેટિક રૂટ અંતર્ગત ૧૦૦ ટકા એફડીઆઈ, જીએસટીમાં ઘટાડો તથા કર સંબંધિત પગલાંને કારણે એમઆરઓ ક્ષેત્રની વૃદ્ધિ ઝડપી બની છે. નવો ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ વિશ્વની સર્વાેત્તમ કાર્યશૈલીને સુસંગત હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સરળ કર માળખું, સુનિયોજીત નિયમો તથા અનુપાલનની સરળતા જેવી વ્યવસ્થા વિશ્વની અગ્રણી એવિએશન કંપનીઓને રોકાણની આકર્ષક તક પૂરી પાડે છે.
વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રે ભારતની ભૂમિકા પર ભાર મુકતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત ઉડ્ડયન ક્ષેત્રનું એક વિશાળ હોવાની સાથે સાથે જ તે સંશોધન, નીતિ વિષયક નેતૃત્વ તથા સમાવેશક વિકાસનું પ્રતીક છે. ભારત હાલમાં સ્પેસ-એવિએશન ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે ઉભરી રહ્યું છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બન્યું છે.કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી જી૭ દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે. છ વર્ષમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદી જી૭ સમિટમાં ગેરહાજર રહે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આગામી ૧૫-૧૭ જૂન દરમિયાન યોજાનારી સમિટ માટે કેનેડાએ હજી સત્તાવાર રીતે ભારતના વડાપ્રધાનને નિમંત્રણ મોકલ્યું નહીં હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી વણસેલાં સંબંધોને પગલે, જો કદાચ નિમંત્રણ મોકલાયું હોત તો પણ તેઓ તેમાં હાજર રહેવાનું ટાળત. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી હોવાના કેનેડાના તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્›ડોએ કરેલાં આક્ષેપો બાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી હતી.SS1