ઉત્તર પ્રદેશના ઓરૈયામાં માર્ગ અકસ્માતમાં બેના મોત
લખનૌ, ઉત્તર પ્રદેશના ઓરૈયામાં એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં યુવક અને યુવતીનું મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્નેના ૧૦ ડિસેમ્બરે લગ્ન થવાના હતા અને ખરીદી કરવા માટે કાનપુર ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમની સ્કુટીને ટક્કર મારી હતી અને બંનેના મોત થતા. ઘટનાની જાણ થતા જ બંને પરિવારોમાં માતમ છવાઇ ગયો છે.
બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક સચિન શ્રીવાસ્તવ અને સોની એક જ મોહલ્લામાં રહેતા હતા. બંને લાંબા સમયથી પ્રેમમાં હતા. અલગ-અલગ જ્ઞાતિના હોવાના કારણે પરિવારજનો આ લગ્ન માટે ઘણી મુશ્કેલી પછી તૈયાર થયા હતા.
સચિન શ્રીવાસ્તવ સીબીઆઈમાં ક્લાર્કના પદ પર નિમણુક હતો. રિંગ સેરેમની થઇ ગઈ હતી અને બન્ને પરિવારો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. જાેકે આ દુર્ઘટનાએ બંને પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે.HS