Western Times News

Gujarati News

ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ હવે વધુ સુરક્ષિત

બેંક ઓફ બરોડાએ પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું

પોઝિટિવ પે સિસ્ટમ મુજબ ચેક ડિટેલ્સને ત્યારે જ રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તેઓ ૨ લાખ અથવા તેનાથી વધુ રકમનો બેન્ક ચેક જારી કરશે.

મુંબઈ, દર મહિનાની પહેલી તારીખથી દેશમાં કેટલાક નવા ફેરફારો લાગુ કરવામા આવે છે. આ ફેરફારો કાં તો નવા નિયમોના રૂપમાં અથવા જૂના નિયમોમાં સુધારા તરીકે થાય છે. અથવા નવી યોજના અથવા ભાવમાં ફેરફાર લાગુ થાય છે. ૧ જૂન ૨૦૨૧ એટલે કે આજથી પણ કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોની તમારા પર પણ સીધી અસર પડશે. ચાલો આપણે આ ફેરફારો વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ હવે વધુ સુરક્ષિત થઈ ગયું છે. ચેકથી થતી છેતરપિંડીને અટકાવવા માટે બેંકે ૧ જૂન ૨૦૨૧થી પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. બેંક ઓફ બરોડાનું કહેવું છે કે તેના ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમ મુજબ ચેક ડિટેલ્સને ત્યારે જ રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તેઓ ૨ લાખ અથવા તેનાથી વધુ રકમનો બેન્ક ચેક જારી કરશે.

કોઈ પણ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેક જારી કરશે તો તેણે તેની બેંકને સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આ સિસ્ટમમાં ચેક જારી કરનારને એસએમએસ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ઈલેક્ટ્રોનિકલી ચેકની ડેટ, બેનેફિશિયરીનું નામ, એકાઉન્ટ નંબર, કુલ રકમ, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેક નંબરની માહિતીની પુષ્ટિ કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.