Western Times News

Gujarati News

દેશમાંથી બાળ મજુરીનું દૂષણ ક્યારે દૂર થશે?

પ્રતિકાત્મક

આજે વિશ્વભરમાં લગભગ ર૧.૮ કરોડ બાળકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના બાળકોને યોગ્ય શિક્ષણ અને પોષણ પ્રાપ્ત થતુ નથી

ભારત દાયકાઓંથી બાળ મજુરીના દૂષણને સહન કરી રહ્યુ છે. દેશનું બાળપણ પોતાના રંગીન સપનાઓના સ્થાને ક્યારેય કચરા, પોતા, કરીને કોઈના ઘરને ચમકાવતુ રહે છે. અથવા તો ક્યારેક પોતાના નાજુક ખભા પર વજન ઉપાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આપણા દેશમાં બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવી રહ્યુ છે.

પરંતુ તેની પાસે મજુરી કરાવવામાં કોઈ ખચકાટ અનુભવાતો નથી. સરકારે બાળમજુરીને ખતમ કરવા માટે મોટી મોટી વાતો કરી છે. અને જાહેરાતો કરે છે. પરંતુ તેનુૃ પરિણામ કોઈ નથી આવતું. આટલી બધી જાગરૂકતા પછી પણ દેશમાંથી બાળમજુરી નાબુદ થવાની સંભાવના દૂર દૂર સુધી દેખાતી નથી. જાે કે બાળમજુરી ફક્ત ભારત પૂરતી જ સીમિત નથી. આ એક વૈશ્વિક દૂષણ છે.

આજે વિશ્વભરમાં લગભગ ર૧.૮ કરોડ બાળકો કામ કરે છે. અને તેમાંના મોટાભાગના બાળકોને યોગ્ય શિક્ષણ અને પોષણ પ્રાપ્ત થતુ નથી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વમાં એકવીસ કરોડ એેસી લાખ બાળમજુરો છે. જ્યારે એકલા ભારતમાં જ તેની સંખ્યા એક કરોડ છવ્વીસ લાખ છાસઠ હજારથી ઉપરની છે.

દુઃખદ બાબત એ છે કે તેઓ ખતરનાક પરિસ્થિતિઓની વચ્ચે કામ કરે છે. તેમનામાંથી અડધા બાળકોની સ્થિતિ સૌથી ખરાબ છે. જેમ કે હાનિકારક વાતાવરણ, ગુલામી અથવા મજબુર શ્રમના અન્ય રૂપ. માદક પદાર્થની દાણચોરી અને વેશ્યાવૃત્તિ સહિતની ગેરકાનૂની કામગીરી. સશસ્ત્ર સંઘર્ષનો પણ સમાવેશ થાય છે.

ભણવાની અને રમવાની વયે કામ કરતા આ બાળકો પોતાનું બાળપણ ગુમાવી દે છે. એ સાચુ છે કે આપણે દેશમાં બાળમજુરી રોકવા માટે ઘણા નિયમો અને કાયદા છે. પરંતુ તેના કારણે જ ભારતમાં બાળમજુરી મુખ્ય સમસ્યાઓમાંની એક છે. એવુ નથી કે દેશમાંથી બાળમજુરીને ખતમ કરી શકાય તેમ નથી.

જાે લોકોમાં જાગરૂકતા વધારવામાં આવે અને કાયદાનું યોગ્ય પાલન કરવામાં આવે તો દેશભરમાંથી બાળમજુરીને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય છે. પરંતુ દેશમાં બાળમજુરોની સંખ્યા સતત વધી રહી છે. અને તેમની પાસે ખતરનાક કામો પણ કરાવવામાં આવી રહ્યા છે. આમ, તો બાળમજુરો માટે ઘણા કારણો હોય છે, પણ તેમાં મુખ્ય કારણ જાેવામાં આવે તો ગરીબી છે.

ગરીબ લોકો પોતાના પરિવારનુૃં પાલનપોષણ કરવા માટે પોતાના જ બાળકો પાસે મજુરી કરાવે છે. આ તેમની મજબુરી હોય છે. તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાની સ્થિતિમાં નથી હોતા. તેથી તેઓ બાળકોને કામ પર મોકલે છે. ઘણા બાળકોને માતા-પિતા ન હોવાને કારણે બાળપણથી જ પોતાનું પેટ ભરવા માટે મજુરી કરવી પડતી હોય છે. ઘણા બાળકોના પરિવારો એને ભણાવી શકવાની સ્થિતિમાં હોવા છતાં મજુરીની લાલચમાં કામ પર જતા રહે છે.

હાલની પરિસ્થિતિમાં ગરીબ બાળકોનું સૌથી વધારે શોષણ થાય છે. ગરીબ બાળાઓને માતા-પિતા ભણવા મોકલવાના બદલેે ઘરકામ કરાવે છે. આ ઉપરાંત વધતી જતી વસ્તી, સસ્તી મજુરી, શિક્ષણનો અભાવ અને હાલના કાયદાઓનો યોગ્ય અમલનો અભાવ બાળમજુરી માટે વિવિધ કારણો છે. બાળમજુરી માનવજાત માટે અભિશાપ છે. અને દેશના વિકાસ આડેનો મોટો અવરોધ પણ છે.

સ્વસ્થ બાળક રાષ્ટ્રનું ગૌરવ હોય છે. આજનું બાળક જ કાલનું ભવિષ્ય છે. આ પંક્તિઓ સ્પષ્ટ કરે છે કે દેશની ઉન્નતિના સર્વાધિક મહત્ત્વપૂર્ણ તત્ત્વ બાળકો જ હોય છે. પરંતુ જ્યારે આપણેે કાલના ભવિષ્યને ચાની દુકાન કે લારી પર, ઢાબા પર કામ કરતા જાેઈએ છીએ કે જ્યાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતાનો દુરૂપયોગ કરવામાં આવે છે. ત્યારે આપણું માથુ શરમથી ઝુકી જાય છે.

ભારતીય બંધારણ અનુસાર કોઈપણ ઉદ્યોગ, કારખાના અથવા કોઈ કંપનીમાં શારીરિક અથવા માનસિક શ્રમ કરવાવાળા પાંચથી પંદર વર્ષના બાળકોને બાળમજુર ગણવામાં આવે છે. દેશમાં ૧૯૭૯માં સરકાર દ્વારા બાળમજુરીને ખતમ કરવા માટે ઉપાય સુચવવા ગુરૂપાદ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ બાળમજુરી રોકવા વિવિધ ભલામણો કરી હતી. જાે કે સરકાર દ્વારા સમાજે પણ જાગરૂક થઈને તેને રોકવાના પગલાં ભરવાની જરૂર છે.

બાળમજુરી ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડા ઉપરાંત માનવ અધિકારનો ભંગ પણ છે. આના માટેે સરકારોએ કેટલાંક વ્યવહારૂ પગલાં ભરવા પડશે. આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ એક ગરીબ બાળકની જવાબદારી ઉપાડી લે તો આ સમસ્યા હલ થઈ શકે. હાલમાં ઘણા સ્વૈચ્છીક સંગઠનો પણ આ માટે પ્રયાસો કરી રહ્યા છે. ર૦રપ સુધીમાં દેશમાંથી બાળમજુરી નાબુંદ કરવાનું લક્ષ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.