ચન્નીએ મારૂ આખું જીવન બરબાદ કરી દીધું છેઃ કોંગ્રેસ નેતા જગમોહન

ચંડીગઢ, પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કોંગ્રેસમાં બધુ જ જાહેર કર્યાના થોડાક જ કલાકોમાં કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ ફરી એકવાર સામે આવ્યો છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા જગમોહન કંગે ચરણજીત સિંહ ચન્ની પર પ્રહારો કર્યા છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ચરણજીત સિંહ ચન્નીની ફરિયાદ કરીને તેમના પુત્ર માટે ટિકિટ માંગી હતી.પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કોંગ્રેસમાં બધુ જ જાહેર કર્યાના થોડાક જ કલાકોમાં કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ ફરી એકવાર સામે આવ્યો છે
કોંગ્રેસ નેતા જગમોહન એસ કંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર પ્રહારો કર્યા છે. કહ્યું કે તે એક પાપી અને ભ્રષ્ટ વ્યક્તિ છે.
તેમણે ચન્ની પર પીઠમાં છરો મારીને તેનું આખું જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. કંગે કહ્યું કે તે ચમકૌર સાહિબ (મુખ્યમંત્રીનો વિધાનસભા મતવિસ્તાર) જશે અને લોકોને ચન્નીને મત ન આપવાનું કહેશે.
આ પહેલા જગમોહન એસ કંગે વિધાનસભા ચૂંટણી માટે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. તેમણે ટિકિટ ન મળવા પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
વાસ્તવમાં, કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ૨૩ ઉમેદવારોની તેની બીજી યાદી જાહેર કર્યાના એક દિવસ પછી, બુધવારે ઘણા ઉમેદવારોએ ટિકિટ ન આપવા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ મંત્રી જગમોહન સિંહ કંગ, વર્તમાન ધારાસભ્ય અમરીક સિંહ ધિલ્લોન, દમન બાજવા અને સતવિંદર બિટ્ટીનો સમાવેશ થાય છે.HS