Western Times News

Gujarati News

RBIએ રેપો રેટમાં ફેરફાર નહી કરતા આમ આદમીને રાહત થઈ

નવી દિલ્હી, રિઝર્વ બેંક આજે નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી રહ્યા છે. નાણાકીય નીતિ હેઠળ, RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે રેપો રેટ, રિવર્સ રેપો રેટ તેમજ વૃદ્ધિ દર, ફુગાવાના ડેટા અને અંદાજાે રજૂ કરી રહ્યા છે. ત્રણ દિવસની બેઠક બાદ આજે એટલે કે ગુરુવારે મોનેટરી પોલિસી કમિટીના પરિણામની ગવર્નર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે મે ૨૦૨૨ થી, રિઝર્વ બેંકે ટોચના ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં સતત છ વખત વધારો કર્યો છે. જાે આજે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અપેક્ષા મુજબ સાતમી વખત દરમાં વધારાની જાહેરાત કરે છે, તો પોલિસી રેટ સાત વર્ષની ટોચે પહોંચી જશે. નાણાકીય નીતિ દર બે મહિને મળે છે.

ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની પ્રથમ બેઠક એપ્રિલ-૨૦૨૨માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટને ૪% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ ૨ અને ૩ મેના રોજ, આરબીઆઈએ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ ૦.૪૦% વધારીને ૪.૪૦% કર્યો.

રેપો રેટમાં આ ફેરફાર ૨૨ મે ૨૦૨૦ પછી થયો છે. આ પછી, ૬ થી ૮ જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં ૦.૫૦% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ ૪.૪૦% થી વધીને ૪.૯૦% થયો.

પછી ઓગસ્ટમાં તેમાં ૦.૫૦%નો વધારો કરીને તેને ૫.૪૦% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને ૫.૯૦% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર ૬.૨૫% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર ૬.૨૫% થી વધારીને ૬.૫૦% કરવામાં આવ્યા હતા. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. બેંકો આ લોનથી ગ્રાહકોને લોન આપે છે.

નીચા રેપો રેટનો અર્થ એ છે કે બેંક તરફથી ઘણી પ્રકારની લોન સસ્તી થઈ જશે, જ્યારે રિવર્સ રેપો રેટ રેપો રેટની બરાબર વિરુદ્ધ છે. રિવર્સ રેટ એ દર છે કે જેના પર RBI બેંકો પાસેથી થાપણો પર વ્યાજ મેળવે છે. રિવર્સ રેપો રેટ દ્વારા બજારોમાં તરલતા નિયંત્રિત થાય છે. સ્થિર રેપો રેટનો અર્થ એ છે કે બેંકો પાસેથી લોનના દરો પણ સ્થિર રહેશે.

જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો પણ મોટાભાગે વ્યાજ દરો ઘટાડે છે. એટલે કે ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજ દરો ઓછા હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. તેવી જ રીતે, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે વ્યાજ દરોમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી બની જાય છે. આનું કારણ એ છે કે કોમર્શિયલ બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે નાણાં મળે છે, જે તેમને દર વધારવાની ફરજ પાડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.