Western Times News

Gujarati News

જો એક પાર્ટનર પરિણીત હોય તો લિવ-ઈન માન્ય નથીઃ મદ્રાસ હાઈકોર્ટ

પ્રતિકાત્મક

(એજન્સી)મદ્રાસ, મદ્રાસ હાઈકોર્ટમાં તાજેતરમાં એક કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં મદ્રાસ કોર્ટે જણાવ્યુ હતું કે પરિણીત પુરુષ અને અપરિણીત મહિલા વચ્ચે લિવ-ઇન રિલેશનશિપ “લગ્નની પ્રકૃતિ” નથી. હાઈકોર્ટે કહ્યું કે કાયદાના અભાવના કારણે લિવ-ઈન પાર્ટનર અન્ય પક્ષની મિલકતના વારસા કે વારસાની માગ કરી શકે નહીં.

જસ્ટિસ આરએમટી ટીકા રમને એવા પુરૂષને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, જેણે પરિણીત હોવા છતાં એક મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં પ્રવેશ કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપ સમયે પણ પુરુષ અને તેની પત્ની વચ્ચે લગ્ન અÂસ્તત્વમાં હોવાથી લિવ-ઈન રિલેશનશિપને લગ્ન તરીકે માની શકાય નહીં.

મદ્રાસ હાઈકોર્ટ અરજદાર જયચંદ્રનની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જે માર્ગારેટ અરુલમોઝી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા. આ સમય દરમિયાન જયચંદ્રને સ્ટેલા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને ૫ બાળકો પણ હતા. જયચંદ્રને માર્ગારેટની તરફેણમાં સમાધાનની ડીડ તૈયાર કરી હતી. જે માર્ગારેટના મૃત્યુ પછી એકપક્ષીય રીતે રદ કરવામાં આવી હતી.

આ કેસ તે મિલકતના કબજા સાથે સંબંધિત હતો, જે અરુલમોઝીએ માર્ગારેટના નામે પતાવટ કરી હતી. ટ્રાયલ કોર્ટે શોધી કાઢ્યું હતું કે જયચંદ્રન અને માર્ગારેટના લગ્નને માન્ય લગ્નમાં રૂપાંતરિત કરવામાં આવ્યા ન હોવાથી, પ્રતિવાદી યેસુરંથિનમ, માર્ગારેટના પિતા,કબજાના ઓર્ડર માટે હકદાર હતા.

આ રીતે કોર્ટે જયચંદ્રનને મિલકતનો કબજો સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી જયચંદ્રને ટ્રાયલ કોર્ટના આ નિર્ણય સામે અપીલ દાખલ કરી હતી. અપીલ પર, અરજદાર જયચંદ્રને દલીલ કરી હતી કે તેણે તેની પ્રથમ પત્ની સ્ટેલાને પરંપરાગત માધ્યમથી છૂટાછેડા આપ્યા હતા, ત્યારબાદ તેણે માર્ગારેટ સાથે અફેર શરૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.