Western Times News

Gujarati News

સમાજમાં બાળકોનો ઉત્તમ ઉછેર કરવો પડશે : આયુષ્માન

મુંબઈ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બોલિવૂડ અને ક્રિકેટ જગતની સૌથી ફેમસ જોડી છે. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ આ બન્નેએ લગ્ન કર્યા હતાં. વિરાટ અને ayushmann khuranaની ઘરે હવે નાનું મહેમાન આવવાનું છે. જેમણે ટ્‌વીટ કરીને ખુશી દર્શાવી હતી. તાજેતરમાં જ અનુષ્કા શર્માએ આરસીબીની જીત પર પોસ્ટ શૅર કરીને ખુશી દર્શાવી હતી. જે પછી હવે અનુષ્કાએ હાથરસ ગેંગરેપ પર આક્રોશ વ્યક્ત કર્યો છે તો ayushmann khuranaએ પણ કટાક્ષસભર પોસ્ટ કરી હતી. અનુષ્કા શર્માએ લખ્યું હતું કે,’આપણા સમાજમાં દીકરો હોવો એ ‘વિશેષાધિકાર’ માનવામાં આવે છે, જોકે, એક દીકરી હોવાની સરખામણીમાં એ કોઈ વિશેષાધિકાર નથી. પરંતુ હકીકત તો એ છે કે, આ કથિત વિશેષાધિકારને ખોટી રીતે અને અત્યંત ટૂંકી દ્રષ્ટિથી જોવામાં આવે છે.

એકમાત્ર ‘વિશેષાધિકાર’ એ છે કે દીકરાને ઉછેરવાની તક એ રીતે કેળવો. જેથી તે છોકરીનું યોગ્ય સન્માન કરે. એક માતાપિતા તરીકે એ તમારી ફરજ છે. જેથી તેને ‘વિશેષાધિકાર’ તરીકે ન સમજો. બાળકની જાતિ કોઈ વિશેષાધિકાર પ્રાપ્ત નથી કરતું પરંતુ હકીકતમાં એ જવાબદારી છે કે તમે સમાજમાં એક છોકરાનો એવી રીતે ઉછેર કરો જેથી મહિલાઓ સુરક્ષિત અને સલામતિભર્યું અનુભવે. અનેક બોલિવૂડ સ્ટાર્સ હાથરસ ગેંગરેપની ઘટના પર પોસ્ટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે.

ત્યારે અનુષ્કા શર્માએ પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અનુષ્કાએ ન્યાયની માગણી કરતા પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે, હજુ થોડો જ સમય પસાર થયો છે અને આપણને અન્ય એક ભયાનક દુષ્કર્મ કેસ વિશે ખબર પડી. કઈ દુનિયામાં આ રાક્ષસ કોઈ નાની ઉંમરની યુવતી સાથે આવું કરવાનું વિચારી શકે છે. આયુષ્માન ખુરાનાએ પણ હાથરસ ગેંગ પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, આપણે માત્ર સ્ત્રીઓને સુરક્ષિત રાખવા કરતાં પણ વધુ કામ કરવું પડશે. આપણે સારા દીકરાનો ઉછેર કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.