ધર્મેન્દ્ર-અરબાઝ ખાન ૨૭ વર્ષ પછી ‘મૈંને પ્યાર કિયા ફિર સે’માં સાથે દેખાશે

વિદ્યા માલવડે અને રાજપાલ યાદવ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે
ફિલ્મના પ્રોડ્યુસર રોની રોડ્રિગ્સે તેના લિરિક્સ પણ લખ્યા છે અને તેને ઉદિત નારાયણે ગાયા છે
મુંબઈ,ધર્મેન્દ્ર અને અરબાઝ ખાન ૨૭ વર્ષ બાદ સાથે ફિલ્મ કરી રહ્યા છે. ૧૯૯૮માં ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં તેઓ સાથે જોવા મળ્યા હતા. હવે આગામી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા ફિર સે’નું શૂટિંગ તેમણે શરૂ કર્યું છે. આ ફિલ્મને થ્રિલર સાથેના ફેમિલી ડ્રામા તરીકે ઓળખવામાં આવે છે. એક દંપતિ અને તેમના બે સંતાનની આસપાસ ફરતી આ ફિલ્મમાં વિદ્યા માલવડે, રાજપાલ યાદવ અને કંગના શર્મા પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર રોની રોડ્રિગ્સે તેના લિરિક્સ પણ લખ્યા છે અને તેને ઉદિત નારાયણે ગાયા છે.
તાજેતરમાં મુંબઈ ખાતે ફિલ્મના મુહુર્ત પ્રસંગે ફિલ્મની કાસ્ટ સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી. ૮૯ વર્ષના ધર્મેન્દ્રએ આ ફિલ્મ અંગે કહ્યું હતું કે, વૈવિધ્યસભર મનોરંજન સાથેની મિક્સ વેજ થાળી છે. ધર્મેન્દ્ર સાથે ફરી વખત કામ કરવાની તક સંદર્ભે અરબાઝ ખાને કહ્યું હતું કે, તેઓ એક સંસ્થા જેવા છે. ફિલ્મમાં મહત્ત્વનો રોલ ધરાવતી વિદ્યા માલવડેને મતે ઓડિયન્સને લાંબા સમયે આ પ્રકારનો સોશિયલ ડ્રામા છે. ફિલ્મ ખૂબ સરળ અને લાગણીસભર છે, તેમાં એક દંપતિ અને તમના બે સંતાનની વાત છે. ફિલ્મમાં ફન અને ફેમિલીની સાથે થ્રિલર પણ છે. ‘મૈંને પ્યાર કિયા ફિર સે’ને નવેમ્બર મહિનામાં રિલીઝ કરવાનું આયોજન છે. SS1