Western Times News

Gujarati News

અર્જુન એવોર્ડ માટે આ બે ગુજ્જુ ક્રિકેટરોના નામ ફાઈનલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર રવીંદ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને આ વર્ષે અર્જુન પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષના અર્જુન પુરસ્કારો માટે 19 એથલીટોને પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિંદ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પુનમ યાદવના નામો શામેલ છે.

ત્યાં જ પેરા એથલીટ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશનો સર્વોચ્ચ રમત સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. રમતમાં જબરદસ્ત પ્રદર્શન કરનારને સમ્માન સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવે છે. આ માટે અલગ અલગ રમત બોર્ડ ખેલાડીઓના નામે રમત મંત્રાલયને મોકલે છે. જે ખેલાડીઓના નામોની ભલામણ થાય છે મોટા ભાગે તેમાંથી જ કોઈને એવોર્ડ મળે છે. આ એવોર્ડ 1961થી શરૂ થયો હતો અને નિશાનો લગાવતા અર્જુનની મુર્તિ સાથે 5 લાખ રૂપિયા મળે છે.

રવીન્દ્ર જાડેજાએ હાલમાં જ શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં પોતાની જાતને સાબીત કરી છે. રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વન ડે અને 42 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.