Western Times News

Gujarati News

ચારથી વધુ દિવસમાં મોત થાય તો રસી જવાબદાર ન મનાય

પ્રતિકાત્મક

નવી દિલ્હી – દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સિન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે કે, વેક્સિન લગાવ્યાના ૪ કે ૧૦ દિવસ બાદ જાે કોઈનુ મોત થાય તો તે માટે રસીને જવાબદાર માનવામાં ના આવે.

તેમના મતે જાણકારોએ એ વાતની ચકાસણી કરી છે કે, કોરોના વેક્સિન લગાવ્યા બાદ હજી સુધી એક પણ મોત થયુ નથી. રસી મુકાવ્યા બાદ હાથ પર સોજાે આવવો કે તાવ આવવાના લક્ષણો પણ બહુ ઓછા લોકોમાં દેખાયા છે. વેક્સિન મુકાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની ટકાવારી ૦.૦૦૦૪ ટકા છે. જે ના બરાબર કહી શકાય.

ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, પીએમ મોદીએ વેક્સિન મુકાવીને દેશને બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે વેક્સિનને લઈને જેટલી પણ અફવાઓ અને શંકાઓ છે તેને ફગાવી દેવી જાેઈએ. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે, ભારતમાં બનેલી બંને વેક્સિન સેફ છે, અમે પીએમ મોદીના આભારી છીએ, તેઓ હંમેશા ઉદાહરણીય નેતૃત્વ પુરુ પાડતા રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.