Western Times News

Gujarati News

હજીરાથી દીવની વચ્ચે ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી

સુરત, વિશાળ દરિયા કિનારો ધરાવતા સુરતમાં નવી ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. સુરતીઓને દરિયા કિનારે જ નહીં દરિયામાં પણ આનંદ મેળવવાનો મોકો મળી રહે તે માટે હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ૩૦૦ લોકોની ક્ષમતા ધરાવતા ક્રૂઝને હજીરાથી કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી બતાવી છે.

લક્ઝુરિયઝ ક્રૂઝમાં આનંદ-પ્રમોદ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રૂઝ સુરતથી સૌરાષ્ટ્ર પહોંચવામાં ૧૩-૧૪ કલાકનો સમય લેશે. આ દરમિયાન દરિયાઈ મુસાફરી વખતે પાર્ટીનો આનંદ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ક્રૂઝ સુરતીઓ માટે મોજ-મસ્તી અને પ્રવાસ માટેનું સ્થળ બની રહેશે, તેમ માંડવિયાએ જણાવ્યું. સુરત (હજીરા)થી દીવ વચ્ચેની ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેંદ્રીય પોર્ટ્‌સ, શિપિંગ અને વોટર વેઝ મંત્રી મનસુખ માંડવિયાએ કરાવી હતી.

૩૦૦ પેસેન્જરોની ક્ષમતા ધરાવતી ક્રૂઝને હજીરાથી દીવ પહોંચતા ૧૩-૧૪ કલાકનો સમય લાગશે. ક્રૂઝના સિંગલ ટ્રિપના ભાડામાં ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રૂઝની ૯૦૦ રૂપિયાની ટિકિટમાં ફૂડ પણ સમાવિષ્ટ છે. જ્યારે વીઆઈપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું ૩૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

આ રકમ શિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવાશે. હજીરા-દીવ વચ્ચે શરૂ ચાલનારી ક્રૂઝમાં ૧૬ કેબિન છે, જે મુસાફર એકલા અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક પણ હશે. ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે ૫૦૦ કોઈન અને બે જણ માટે ૧૦૦૦ કોઈન આપવામાં આવશે, જે રિફંડેબલ નહીં હોય.

આ અંગે કેંદ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું, ‘કુદરતે ભારત અને ગુજરાતને વિશાળ દરિયા કિનારાની ભેટ આપી છે. ત્યારે આ દરિયામાંથી વિકાસની નવી નવી તકો શોધીને લોકોના ઉપયોગમાં આવે તે માટે સરકાર દ્રઢ નિશ્ચયી છે. અગાઉ રો-રો ફેરી અને રો-પેક્સ બાદ એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.