Western Times News

Gujarati News

ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડશે કુલ ૩ જાેડી સ્પેશ્યલ ટ્રેનો

Files Photo

અમદાવાદ, રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ ૩ જાેડી સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર ૦૨૪૮૪/૦૨૪૮૩ ગાંધીધામ-જાેધપુર-ગાંધીધામ (ત્રિ સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૨૪૮૪ ગાંધીધામ – જાેધપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ૧૧ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ગાંધીધામથી રાત્રે ૨૨ઃ૦૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૬ઃ૪૫ વાગ્યે જાેધપુર પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૪૮૩ જાેધપુર – ગાંધીધામ સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે જાેધપુરથી ૨૧ઃ૧૦ વાગ્યે ચાલીને બીજા દિવસે ૦૬ઃ૦૫ વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સામાખ્યાલી, રાધનપુર, ભીલડી, મારવાડ ભીનમાલ અને જાલૌર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૨૦/૦૪૮૧૯ સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૪૮૨૦ સાબરમતી – ભગત કી કોઠી સ્પેશ્યલ ૧૧ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી ૦૭ઃ૪૫ વાગ્યે ચાલીને તે જ દિવસે ૧૬ઃ૨૦ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૪૮૧૯ ભગત કી કોઠી – સાબરમતી સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન ૧૧ઃ૨૫ વાગ્યે ચાલીને તે જ દિવસે ૨૦ઃ૦૦ વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી, ડુંડારા અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૦૪/૦૪૮૦૩ સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશ્યલ ઃ ટ્રેન નંબર ૦૪૮૦૪ સાબરમતી – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન સાબરમતીથી ૨૧ઃ૫૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૬ઃ૦૦ વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૪૮૦૩ ભગત કી કોઠી-સાબરમતી સ્પેશ્યલ ૧૦ એપ્રિલ ૨૦૨૧ થી આગળની સૂચના સુધી પ્રતિદિન ભગત કી કોઠી થી ૨૧ઃ૩૦ વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે ૦૫ઃ૩૦ વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલૌર, મોકલસર, સમદડી અને લુણી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ રિઝર્વ કોચ રહેશે. ટ્રેન નંબર ૦૪૮૦૪, ૦૪૮૨૦ અને ૦૨૪૮૪ નું બુકિંગ ૬ એપ્રિલ ૨૦૨૧ થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. મુસાફરો ટ્રેન સંચાલન, આવર્તન અને ઑપરેટિંગ દિવસો તથા સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.