Western Times News

Gujarati News

વારણા બોરટીંબાના સરપંચે જાતે ૩ ગામોમાં સેનેટાઈઝ કર્યું

ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક પગલાં ભર્યાં

બાયડ, કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અનેક પદાધિકારીઓ પ્રજાને ભગવાન ભરોસે રાખી પોતે ઘરમાં પુરાઈ ગયા છે ત્યારે બાયડ તાલુકાની વારેણાબોરટીંબા ગામના સરપંચ અમૃતસિંહ પરમારે જાતે પોતાના ખભા પાછળ પંપ લગાવી પંચાયત વિસ્તારના ૩ ગામોમાં ધોમધખતા તાપમાં ઉપસરપંચને સાથે રાખી સેનેટાઈઝની કામગીરી શરૂ કરતાં તેની સમગ્ર જિલ્લામાં નોંધ લેવાઈ છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક પગલાં ભર્યાં છે.

કોરોના માટે હવે સાવચેતી રાખવી જરૂરી છે. સરકાર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દરેક લોકોને શક્ય એટલી મદદ કરતું હોય છે પરંતુ ટાંચાં સાધનોના કારણે જનજન સુધી પહોંચવું અઘરૂ છે આવા સમયે જનપ્રતિનિધિઓ સરકારના પ્રતિનિધિ તરીકે કોરોનાના સંક્રમણને અટકાવવા કામે લાગી જાય તો..?? સરકારની અડધી કામગીરી ઓછી થઈ જાય.

વારેણાબોરટીંબાના સરપંચ તેમજ ઉપસરપંચ વિપુલ દેસાઈ વગેરેએ ગ્રામ પંચાયત વિસ્તારમાં કોરોનાનો દર્દી ન નોંધાય તે માટે ચીવટ રાખી છતાં પણ કોઈ સંક્રમિત થઈ જાય તો સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે ઉચિત પગલા ભર્યા છે. ગામમાં કોઈ બિમાર હોય તો પહોંચી જાય છે અને સૌ પ્રથમ કોરોનાના લક્ષણ જણાતા હોય તો એન્ટિજન ટેસ્ટ કરવાની સલાહ આપે છે

જેના કારણે વારેણા, બોરટીંબા અને અને બોરમઠ સહિતના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રસર્યું નથી. હવે સરપંચે પ્રજા મુશ્કેલીમાં છે ત્યારે હું તેમની વચ્ચે જઈને કામ કરીશ તેવા મક્કમ નિર્ધાર સાથે જાતે જ ઘેર.. ઘેર સેનેટાઈઝની કામગીરી શરૂ કરી છે. સરપંચ અને ઉપસરપંચને એક સાથે સેનેટાઈઝની કામગીરી કરતા જાેઈ અન્ય યુવાનો પણ કોરોનાને હરાવવા માટે સાથ આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.