Western Times News

Gujarati News

રાહુલ જી ઈચ્છે તો હરિયાણામાં આવીને રસી લગાવી શકે છે : ખટ્ટર

ચંડીગઢ: કોરોના વાયરસની રોકથામ માટે દેશભરમાં રસીકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજકારણ પણ ખૂબ જ ઝડપી થઈ ગયું છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, જાે તેઓ ઇચ્છે તો તેઓ પણ પોતા હરિયાણામાં આવીને રસી લગાવી શકે છે.

આ અગાઉ રાહુલ ગાંધીએ શુક્રવારે દેશમાં એન્ટિ કોવિડ -૧૯ રસીઓની કથિત તંગીને ટાંકીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે જુલાઈ મહિનો આવી ગયો છે, પરંતુ રસીઓ આવી નથી.ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, “જુલાઈ મહિનો આવી ગયો છે, રસી આવી નથી.” જવાબમાં ખટ્ટરે ગાંધીને “રાહુલ જી” તરીકે સંબોધન કર્યું અને કોવિન પોર્ટલ તરફ ધ્યાન દોરતાં કહ્યું, તમે અહીં નોંધણી કરાવી શકો છો. એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.

ખટ્ટરે પોતાના ટિ્‌વટમાં કહ્યું, “જાે તમે ઇચ્છો તો તમે હરિયાણાથી પણ રસી લઈ શકો છો, જ્યાં વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગરૂપે રોજ મોટી સંખ્યામાં નાગરિકોને રસી અપાય છે.”

આપને જણાવી દઈએ કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૩૪ કરોડથી વધુ ડોઝ લગાવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૭ કરોડ ૯૪ લાખ ૫૪ હજાર ૯૧ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૬ કરોડ ૬ લાખ ૨૨ હજાર ૧૪૧ લોકોને કોરોના રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, કોરોના રસીના કુલ ૩૪ કરોડ ૭૬ હજાર ૨૩૨ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.