Western Times News

Gujarati News

ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ૨૬ જુલાઈથી શરૂ કરાશે

Files Photo

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો સોમવાર-તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧ થી શરૂ થશે.

૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે.

કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી ૨૬ તારીખ જુલાઈ ૨૦૨૧ થી શાળાઓના ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. આ વર્ગો ૫૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો ર્નિણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો આગામી ૨૬ જુલાઈ ૨૦૨૧ થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- ર્જીંઁનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ ૯ જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ ૧૨ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો ૫૦ ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.