Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફટ કરી પ્લેન જામનગર પહોંચ્યું

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સતત મોનીટરીંગ વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. જામનગર એરપોર્ટ પર બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના મારફતે મુસાફરોને લઈ જવામાં આવી રહ્યા છે.

જામનગરના એરપોર્ટ પર પહોંચેલા ભારતીય નાગરીકોનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. તેઓ કેવી કઠીન પરિસ્થિતિમાંથી ત્યાંથી નિકળ્યા છે તેની આપવિતી સાંભળી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ગદગદીત થઈ ગયા હતા.

જામનગરના એરપોર્ટ પર પહોંચેલા આ વિમાન જામનગરથી અન્ય નાગરીકોને લઈને દિલ્હી રવાના થયું હતું. જયાં તે લગભગ સાંજે 5 વાગ્યા સુધીમાં પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.