Western Times News

Gujarati News

સામાન્ય વરસાદમાં પણ ર૦૦ કરતા વધુ સ્થળે પાણી ભરાશે

File Photo

આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાય તેવા એધાણઃ  મ્યુનિ. ઈજનેર
અધિકારીઓએ
ર૦૧૮ના આધારે કરેલા પ્રેઝન્ટેશનમાં ચોકાવનારો ખુલાસો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ :  રાજયમાં વરસાદી સીઝન શરૂ થવાના પડઘમ વાગી રહયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૩ જુને મેઘરાજા ની સવારી આવી શકે છે. જા કે, ૧૩ જુને દરીયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદ આવશે. જયારે અમદાવાદ શહેરમાં ર૦ જુનની આસપાસ વિધિવત ચોમાસાની શરૂઆત થઈ શકે છે. ચોમાસાની સીઝન શરૂ થાય તેના લગભગ દોઢ-બે મહીના પહેલા મ્યુનિ. તંત્ર એલર્ટ થઈ જાય છે. તથા પરંપરાગત પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. તથા તેનો સંપૂર્ણપણે અમલ થઈ ગયો હોવાના દાવા પણ કરવામાં આવે છે.

પરંતુ સીઝનના પ્રથમ વરસાદમાં જ પ્રિ-મોન્સુન એકશન પ્લાનના લીરા ઉડી જાય છે. તથા સમગ્ર શહેર જળબંબાકાર થઈ જાય છે. સદ્દર પરિસ્થિતીનું નિર્માણ લગભગ દર વર્ષે થાય છે. તેમ છતાં તંત્ર એકશન પ્લાન તૈયાર કરે છે. કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તથા પ્રથમ વરસાદમાં જ “મોહભંગ” થઈ જાય છે. ચાલુ વર્ષે પણ વહીવટીતંત્રના વડા દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તથા તેની કામગીરીની “થોડી-ઘણી” સમીક્ષા થઈ છે. તેમ છતાં સામાન્ય વરસાદ થતા જ લગભગ ર૧૦ જેટલા સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થશે તે બાબત નિશ્ચિત છે !
સ્માર્ટસીટી અમદાવાદ ને ચોમાસાની સીઝન આર્થિક રીતે ઘણી જ મોઘી પડી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચોમાસા અગાઉ પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત લગભગ દોઢથી બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જયારે વરસાદ થયા બાદ ધોવાણ થયેલ રોડ-રસ્તાના રીપેરીંગ-રીસરફેઈલ માટે રૂ.ર૦૦ થી રપ૦ કરોડનો ખર્ચ થાય છે. જયારે વરસાદી પાણી ભરાવાના કારણે નાગરીકોના વાહનો બગાડવા તથા ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે જાન-માલનું નુકશાન થાય છે. જેના સાચા આંકડા જાહેર થતા નથી.
મ્યુનિ. કોર્પોરેશન ના શાસકપક્ષ અને વહીવટીતંત્ર દ્વારા દરવર્ષે વરસાદી પાણી નહીં ભરાય તથા વરસાદ બંધ થતા ગણત્રીની મીનીટોમાં જ પાણીનો નિકાલ થઈ જશે તેવા દાવા કરવામાં આવે છે. પરંતુ આ તમામ દાવા પોકળ સાબિત થાય છે. મ્યુનિ. ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ર૧૦ કરતા પણ વધુ સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થશે તે બાબતનો રીવ્યુ મીટીગમાં સ્વીકાર કર્યો છે.

ગત વર્ષે જે સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા તેના આધારે જે યાદી તૈયાર કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ મધ્યઝોનમાં ર૬ પૂર્વઝોનમાં ૪૧ ઉત્તર પશ્ચિમઝોનમાં ર૭, દક્ષિણઝોન પર, ઉત્તરઝોનમાં ૩૧, પશ્ચિમઝોનમાં ૩૦ અને દક્ષિણ-પશ્ચિમઝોનમાં ૧૯ સ્થળ મળી કુલ રર૬ જગ્યાએ એકાદ ઈંચ વરસાદમાં પણ પાણી ભરાશે. જેના નિકાલ માટે પમ્પ મુકવા કે ફાયર ફાયટરનો ઉપયોગ કરવો પડશે.
શહેરમાં એકાદ-ઈંચ વરસાદ થતા જ મધ્યઝોનના શાહીબાગ, અસારવા, જમાલપુર, શાહપુર તથા ખાડીયા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ શકે છે. તેવી જ રીતે દક્ષિણઝોનના મણીનગર વોર્ડમાં રેલવે કોલોની, મિલ્તનગર, રમા ફલેટ ચોકઠે વલ્લભવાડી, કૃષ્ણબાગ ફરકી, પાસે પાણી ભરાવાની શકયતા રહે છે. દાણીલીમડા વોર્ડમાં મોતી બેકરીથી ચંડોળાતળાવ રોડ, પીરકમાલ ચાર રસ્તા પાસે, બહેરામપુરા વોર્ડમાં છીપા સોસાયટી, ઈન્દ્રપુરી, વોર્ડમાં શકરીયા કુશભાઈ ઠાકરે કોમ્યુનીટી હોલ, નીલકંઠ સોસાયટી-કેનાલ પર તથા રકતનીયાનગર પાસે વરસાદી પાણી ભરાય તેમ છે.
ખોખરા વોર્ડમાં ડેન્ટલ કોલેજ પાસે, હાટકેશ્વર સર્કલ, દામાણી અંડરપાસ તથા ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, વટવા વોર્ડમાં વોર્ડ ઓફીસ મહાલક્ષ્મી તળાવ તથા ગોલ્ડન સિનેમા રોડ, ઈસનપુર, વોર્ડમાં શાંતિબાગ સોસાયટી, ગણેશનગર, લલીતા સોસાયટી વિસ્તાર પાસે તથા લાંભા વોર્ડમાં નારોલ ગામ-વણઝારા વાસ, સૈજપુર ગામ, કર્ણાવતી એપાર્ટમેન્ટ-ર, ઈન્દીરાનગર તથા શકિતધામ સોસાયટી પાસે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે.
પશ્ચિમઝોનમાં વાસણા બેરેજ રોડ, આયોજનનગર-શ્રેયસ બ્રીજ પાસે જીવરાજ મહેતાહોસ્પીટલથી મલાવતળાવ, અંકુર ચાર રસ્તા, ડી.કે. પટેલ ચાર રસ્તા, સરદાર પટેલ સ્ટેડીયમ પાછળ, ગાયત્રી ગરનાળા, આર.ટી.ઓ. સર્કલ, રાણીપ ક્રોસ રોડ, શ્રેયસ બ્રીજથી આંબાવાડી બજાર, ડાયાબીટીસ ગલી જૈન સોસાયટી, વિકાસગૃહથી રોકટાઉન એમ્સ હોસ્પીટલથી પદમાવતી સોસાયટી, મેઘમણી હાઉસથી અશોકનગર ધરણીધર ચાર રસ્તાથી જયદીપ બ્રીજ,  નિર્ણયનગર ગરનાળા, સ્વામીનારાયણ ચોકઠુ જય અંબે પાન પાર્લર અખબારનગર, ગ્રીનસીટી રોડ નિર્ણયનગર, પીવીઆર સિનેમા મોટેરા ડી-માર્ટ પાસે મોટેરા, ન્યુ.સી.જી.રોડ આઈ.ઓ.સી.રોડ માણેકબાગ જનમાર્ગ ચાર રસ્તા, પંચવટી ચાર રસ્તા, વિજય એપાર્ટમેન્ટથી દાદ સાહેબના પગલા તરફના વિસ્તારમાં રાયપુર મીલ સર્કલ, ગોમતીપુર ફાયર બ્રિગેડ, સ્વસ્તિક ચાર રસ્તા, નાગરવેલ હનુમાન, સત્યમનગર શાક માર્કેટ, સી.ટી.એમ. બ્રીજ, જાગેશ્વરી રોડ, અજય ટેનામેન્ટ રોડ, બાપા સીતારામ, કર્ણાવતી રોડ, ઓઢવ રીગ રોડ,ફાયરબ્રિગેડથી મહાકાળી, મુકેશનગર, વ†ાલ ગેટ, ઔડા ગાર્ડન પાસે, ગોકુલનગર, આર.ટી.ઓ. ઓફીસ પાસે, રતનપુરા તળાવ પાસે, ધારા કોલોની, સોનીની ચાલ,સોમા ટેક્ષટાઈલ્સ રોડ ભારતી બોબીન ચાલી, વિરાટનગર ચાર રસ્તાથી મરઘાફાર્મ રોડ, ત્રિકમપુરા પાટીયા, જામફળવાડી, લાલગેબી, બોમ્બે કંડકટર રોડ મુખ્ય વિસ્તાર છે જયાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ શકે છે.

નવા પશ્ચિમ ઝોનમાં વોડાફોન હાઉસ, પાંચા તળાવ પાસે, આઝાદનગર તળાવ, પેલેડીયમ સર્કલ, બુટભવાની રેડીયો મીર્ચીરોડ, સોનલ રોડ, પાટીદાર ચોક આલ્ફાવન મોલ વિસ્તારમાં પાણી ભરાશે તેવી કબુલાત ઈજનેર વિભાગ કરી રહયો છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી ૯પ૦ કિલોમીટરની સ્ટ્રોમ લાઈન નાંખવામાં આવી છે. પરંતુ અયોગ્ય ડીઝાઈન અને ડ્રેનેજના ગેરકાયદે જાડાણોના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ સાબિત થયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન પ્લાન જાહેર થાય છે. જેનો લાભ પ્રજાને ઓછો મળે છે.
જયારે કોન્ટ્રાકટરો ને ઘી-કેળા થઈ જાય છે. દર વર્ષેડીશીલ્ટીંગ ના નામે રૂ.બે કરોડના ખર્ચ થાય છે. તેમ છતાં વરસાદી પાણી ભરાય છે. તેથી આ દિશામાં પણ વીજીલન્સ તપાસ કરવી જરૂરી છે. સામાન્ય વરસાદમાં રોડ-રસ્તાના પણ ધોવાણ થાય છે. ઈજનેર ખાતામાં ચાલી રહેલ ભ્રષ્ટાચારનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.