Western Times News

Gujarati News

પતિએ પત્ની સાથે બળજબરીપૂર્વક બાંધેલો શારીરિક સંબંધ બળાત્કાર નથી: હાઇકોર્ટ

રાયપુર, છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે પતિએ પત્ની સાથે કરેલા બળજબરીપૂર્વક બાંધેલો શારીરિક સંબંધ પણ બળાત્કારની શ્રેણીમાં આવશે નહીં. કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે અને પતિને ‘વૈવાહિક બળાત્કાર’ ના આરોપોમાંથી મુક્ત કર્યો છે.

છત્તીસગઢ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “કાનૂની રીતે પરણેલી પત્ની સાથે પતિ દ્વારા સે-ક્સ અથવા કોઈપણ જાતીય કૃત્ય બળાત્કાર નથી, પછી ભલે તે બળ દ્વારા કરવામાં આવે અથવા પત્નીની ઇચ્છા વિરુદ્ધ હોય.”આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કાર અથવા વૈવાહિક બળાત્કારને લઈને એક કેસ પણ આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારને ગુનાની શ્રેણીમાં રાખી શકાય નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, વૈવાહિક બળાત્કાર પણ ઘરેલુ હિંસાનું વિકૃત સ્વરૂપ છે. તેનો અર્થ પત્ની સાથે સં-ભોગ કરવો અથવા તેની સંમતિ વગર તેને આવું કરવા માટે દબાણ કરવું આઇપીસીની કલમ ૩૭૬ માં બળાત્કાર જેવા ગુના માટે આકરી સજાની જાેગવાઈ છે.આઇપીસીની આ કલમ મુજબ પત્ની પર બળાત્કાર કરનાર પતિ માટે સજાની જાેગવાઈ છે.

જાે કે પત્નીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય. જાેકે, અહીં એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ભારતમાં ૧૨ વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન બાળવિવાહની શ્રેણીમાં આવે છે. જે પોતે જ પાપ છે.

આ કિસ્સામાં ફરિયાદીએ કાયદાકીય રીતે આરોપી સાથે લગ્ન કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ ઉંમરના પુરુષની પોતાની પત્ની સાથેના શારીરિક સંબંધ બળાત્કાર નથી. આ કિસ્સામાં, ફરિયાદી આરોપીની કાયદેસર રીતે પરિણીત પત્ની છે, તેથી આરોપી પતિ દ્વારા તેની સાથે જાતીય સંભોગ અથવા કોઈપણ જાતીય કૃત્યને બળાત્કારના ગુના તરીકે ગણવામાં આવશે નહીં, પછી ભલે તે બળપૂર્વક અથવા તેની ઇચ્છા વિરુદ્ધ હોય. જાે કે આ વ્યક્તિને કોર્ટ દ્વારા વૈવાહિક બળાત્કારના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ હવે તેના પર અકુદરતી સેક્સના આરોપ હેઠળ કોર્ટમાં કેસ ચાલશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.