Western Times News

Gujarati News

પ્રિન્ટરને વધુ ચૂકવેલા રૂા.૬.પ કરોડ GCERTના અધિકારીઓ પાસેથી વસૂલો: હાઈકોર્ટ

File

પ્રિન્ટરને કરાયેલી વધુ ચુકવણીને મુદ્દે હાઈકોર્ટે નોટીસ કાઢી હતી

અમદાવાદ, સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિધાર્થીઓ માટે છાપવાના પુસ્તકોના છાપકામમાં ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓ તેમની પાસે વસુલી ન કરતાં હોવાથી આ કૌભાંડમાં તેમની મીલીભગત હોવાનો સ્પષ્ટ નિર્દેશ મળી રહયો છે.

આ કૌભાંડ આચરનારી પ્રિન્ટીગ પ્રેસ રીલાયેબલ આર્ટ પ્રિન્ટરી પાસેથી સરકાર વસુલી ન શકતી હોય તો આ રકમ તેમણે જવાબદાર અધિકારીઓના પગારમાંથી વસુલવી જાેઈએ. ગુજરાત હાઈકોર્ટે પણ આ કેસમાં નોટીસ આપેલી છે.. હજી આ કેસની સુનાવણી બાકી જ છે.

ગુજરાત કાઉન્સીલ ઓફ એજયુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીગે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પુસ્તકો છાપવાની કામગીરી રીલાયેબલ આર્ટ પ્રીન્ટરીને ટેન્ડરથી સોપી હતી. પેજ દીઠ છાપકામના ર૯ પૈસાન ભાવ આપીને પછી તેને બંને સાઈડ છાપવાને નામે પ૮ પૈસાનો ભાવ કરી દઈને ટેન્ડરની શરતમાં છેડછાડ કરી હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ધ્યાનમાં આવ્યું હતું.

કામ આપવા માટેની શરતમાં નજીવી છેડછાડ કરીને ચૂપકીદી રૂા.૬.૯ર કરોડ વધુ વસુલી લેવામાં આવ્યા હતા. કેગના અહેવાલ પછીય રિલાયેેબલ આર્ટ પ્રિન્ટરી પાસેથી વસુલી ન કરવામાં આવી તેથી સમગ્ર કેસને ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.

સૌથી વધુ નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના કાર્યકાળમાં આ કૌભાંડ થયું હોવા છતાંય તેમણે આ નાણાંની રીકવરી કરવા માટે કોઈ જ પગલાં લીધા નહોતા. પરિણામ હવે નવા શિક્ષણ મંત્રી આ વસુલી કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

કંપની પાસે વસુલી ન કરી શકાતી હોય તો સરકારે ખોટી રીતે બમણું પેમેન્ટ આપી દેનારા અધિકારીઓ પાસેથી તે રકમની વસુલી કરવી જાેઈએ તેવી પણ રજુઆત કરવામાં આવી રહી છે. કેગના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું હોવા છતાંય સરકાર રિકવરી ન કરી શકી હોવાથી જવાબદાર અધિકારીઓને રાજકારણીઓની ઓથ હોવાથી આ કૌભાંડમાં નાણાંની રિકવરી કરવામાં આવતી ન હોવાના પણ આક્ષેપો થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.