Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, પરિવારની ત્રણ મહિલાઓએ આત્મહત્યા કરી

Files Photo

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે એક જ પરિવારની ૩ મહિલાઓ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ભાણવડના ગાયત્રી નગરમાં બની હતી. જ્યાં એક સાથે ત્રણ મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતકોમાં દીકરી, માતા અને દાદીનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મહિલાઓની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આપઘાત કરનાર ત્રણેય મહિલાઓ થોડા દિવસ પહેલા ભાણવડ તેમના સબંધીને ત્યાં આવ્યા હતા. દરમિયાન સોમવારે વહેલી સવારે આપઘાત કરી લેતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય મહિલાઓ જામનગર રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ભાણવડ ગામે આપઘાત કરનાર મહિલાઓની ઓળખ સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (૧૮ વર્ષ), જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (૬૩) અને નૂરજાહબાનું નુરમામદ શેખ (૪૨) તરીકે થઈ છે.
બનાવને પગલે પરિવાર સહિત આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.