Western Times News

Gujarati News

પુનિતના મોતનો આઘાત ન જીરવાતા બે ચાહકોનાં મોત

બેંગલુરૂ, કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારના માત્ર ૪૬ વર્ષની વયે હાર્ટ એટેકથી થયેલા નિધન બાદ તેમના લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ દરમિયાન તેમના બે ચાહકોનુ પણ આઘાતના કારણે હાર્ટ એટેક આવવાથી મોત થયુ છે.આ પૈકી એક મુનિયપ્પા નામનો ખેડૂત છે. ૩૦ વર્ષના આ ચાહકને પુનિતના મોતની ખબર પડી તો તે જાેર જાેરથી રડવા માંડ્યો હતો અને એ દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા તે નીચે પડી ગયો હતો. લોકો તેને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા હતા પણ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ જ રીતે બેલગાવી જિલ્લામાં પણ પરશુરામ નામના પુનિત રાજકુમારના ચાહકનુ મોત થયુ છે. પુનિતના મોતની ખબર પડ્યા બાદ તે ટીવી સામે બેસીને સતત રડતો રહ્યો હતો. ગઈકાલે રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનુ પણ મોત થયુ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.