Western Times News

Gujarati News

કોરોના દરમિયાન વિશ્વમાં શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત

નવી દિલ્હી, કોરોના મહામારી દરમિયાન વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ સ્થળોની યાદીમાં ભારતનું રેટિંગ સારું છે. ભારતે બ્લૂમબર્ગની કોવિડ રેઝિલિયન્સ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વર્ષે એપ્રિલ-મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.

આમ છતાં, બ્લૂમબર્ગની આ રેન્કિંગમાં માસિક સ્નેપશોટ અનુસાર, ભારત ૨૬માં ક્રમે છે. આ દર્શાવે છે કે, દેશમાં સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે કોરોનાવાયરસ સંક્રમણને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.

આ લીગ ટેબલમાં, વિશ્વની ૫૩ અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કોરોના કન્ટેનમેન્ટ ઝોન, અર્થતંત્ર અને અન્ય પાસાઓના આધારે કરવામાં આવ્યું હતું. ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયા બાદ અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી ગઈ છે.

તે જ સમયે, કોરોના રસીકરણની ઝડપ, જે શરૂઆતમાં ધીમી હતી, તે પણ વધી છે. અત્યાર સુધીમાં ૧ અબજ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય સારી રોગપ્રતિકારક શક્તિ પણ કોવિડ-૧૯ સંક્રમણમાં ઘટાડાનું મુખ્ય કારણ છે.

આ કોવિડ સ્થિતિસ્થાપકતા રેન્કિંગમાં, ૧૨ ઇન્ડિકેટરના આધારે રાષ્ટ્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ પૈકી, વિશ્વના ઘણા દેશોના રસીકરણ કરાયેલા નાગરિકો માટે તેની સરહદો ફરીથી ખોલવાના ર્નિણય સાથે નવેમ્બરમાં ભારતના રેન્કિંગમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન હતું. તે જ મહિનામાં, ફ્લાઇટ ક્ષમતા ફરીથી ૨૦૧૯ના સ્તરે વધારવાની હતી.

આનાથી લોકોને વ્યવસાય અને મુસાફરી ફરી શરૂ કરવામાં મદદ મળી. આ કારણે, ભારત હવે ફ્લાઇટ ક્ષમતા પુનઃપ્રાપ્તિ સૂચકમાં ટોચના ૧૦ની યાદીમાં સામેલ છે. ભારતમાં સત્તાવાર રીતે કોરોના ચેપના દૈનિક કેસોમાં હવે મોટો ઘટાડો થયો છે, જે વસ્તીના પ્રમાણમાં ખૂબ જ ઓછો છે.

ભારતમાં નવેમ્બરમાં માથાદીઠ સંક્રમણનો દર ઓછો રહ્યો છે. આ મુજબ ૧ લાખ લોકોમાંથી માત્ર ૨૩ લોકો જ સંક્રમિત છે. તે જ સમયે, નાણાકીય વર્ષ ૨૦૨૨માં જીડીપીના ૯.૫%નો અંદાજ વિશ્વમાં સૌથી વધુ છે, જે અર્થતંત્ર માટે વધુ સારી નિશાની છે.

ભારતમાં કોરોના રોગચાળાને લઈને સ્થિતિ હવે સામાન્ય છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોવિડ-૧૯ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા છે. મોલ, શાળાઓ, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો અને બાર ફરી ખોલવામાં આવ્યા છે. મોટાભાગની ઓફિસો ખુલ્યા બાદ હવે કર્મચારીઓ કામ પર પરત ફરી રહ્યા છે.

જાેકે, ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ ઓથોરિટીએ એરપોર્ટ પર ફરીથી કડકાઈ વધારી દીધી છે. વિદેશથી આવતા નાગરિકો માટે કોવિડ-૧૯ ટેસ્ટ, ક્વોરેન્ટાઇન અને હોમ આઇસોલેશન જેવા નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

જાેકે, આ રેન્કિંગમાં વધુ સુધારા માટે ભારતે રસીકરણનો દર વધારવો પડશે. કારણ કે અત્યાર સુધીમાં દેશમાં માત્ર ૩૨ ટકા વસ્તીને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.