Western Times News

Gujarati News

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શનમાં: એક સાથે ૩ સ્થળોએ દરોડા

મુંબઇ, છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર એક્શન મોડમાં જાેવા મળી રહ્યા છે.સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે મુંબઈમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મુંબઈ એરપોર્ટ પરથી એમડી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું.

બોલિવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર કાર્યવાહી કરવાના કારણે સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું હતું. આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી આર્યન ખાનને લગભગ એક મહિના જેલમાં રહેવું પડ્યું હતું.

એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્રને ખંડણી માટે નિશાન બનાવ્યો હતો અને વાસ્તવિક ડ્‌ર્ગ્સ માફિયા ક્યારેય ક્રૂઝમાં પકડાયા નથી.

બાદમાં જ્યારે આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે કિરણ ગોસાઈ નામનો એક વ્યક્તિ, જે સેલ્ફી લેતો જાેવા મળ્યો હતો, તેના અંગરક્ષક પ્રભાકર સેઈલે દાવો કર્યો હતો કે, તેણે કિરણ ગોસાઈની સેમ ડિસુઝા નામની વ્યક્તિ સાથે ફોન પર થયેલી વાતચીત સાંભળી હતી.

આ વાતચીતમાં ગોસાઈ સેમને કહેતા હતા કે આર્યન ખાનને બચાવવા માટે જે ૧૮ કરોડ લેવાના છે તેમાંથી ૮ કરોડ સમીર વાનખેડેને આપવાના છે. ખંડણીના આરોપોમાં ઘેરાયા બાદ સમીર વાનખેડેને દ્ગઝ્રમ્એ દિલ્હી બોલાવીને પૂછપરછ કરી હતી. અને બાદમાં તેને આર્યન ખાન કેસમાંથી તેમને હટાવી દેવામાં આવ્યા હતા.

આ પછી નવાબ મલિકે આ પણ આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે. તેમના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ તેમનો ધર્મ બદલી નાખ્યો હતો, પરંતુ સમીર વાનખેડેએ આ સત્ય છુપાવ્યું અને દલિત હોવાના નકલી જાતિ પ્રમાણપત્રના આધારે આઇઆરએસની નોકરી લીધી. આ રીતે તેમણે દલિત યુવકનો હક માર્યો છે.

સમીર વાનખેડેએ જવાબમાં કહ્યું કે, તેમની માતા ભલે મુસ્લિમ હોય, પરંતુ તેમના પિતાએ ક્યારેય ધર્મ બદલ્યો નથી અને તેઓ જન્મથી જ હિન્દુ દલિત છે. હાલ આ મામલો કોર્ટમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.