Western Times News

Gujarati News

અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે ચાર એસ્કેલેટર મૂકાયા

અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ  ડૉ. કિરીટભાઈ પી. સોલંકી અને અમદાવાદના માનનીય મેયર શ્રી કિરીટ પરમારે  05 ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2/3 અને 4/5 પર રેલવે યાત્રીઓ માટે ચાર એસ્કેલેટરનું લોકાર્પણ કર્યું હતું

કાર્યક્રમના પ્રારંભે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈને માનનીય સાંસદ ડો. કિરીટભાઈ પી. સોલંકી અને માનનીય મેયર શ્રી કિરીટ પરમારનું એક છોડ આપી સ્વાગત કર્યું હતું. માનનીય સાંસદ ડો.કિરીટ સોલંકીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદ રેલ્વે સ્ટેશન અગ્રણી સ્ટેશન છે.

જેના પ્લેટફોર્મ નંબર 2/3 અને 4/5 પર રૂ. 2.88 કરોડ ના ખર્ચે ચાર એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 યાત્રીઓ  કરી શકશે. ખાસ કરીને  તે દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે ખુબ જ  ઉપયોગી થશે. રેલવે દ્વારા સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી રવિદ્ર શ્રીવાસ્તવ, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર શ્રી કુમાર સંભવ પોરવાલ, ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર શ્રીમતી રજની યાદવ સહિત રેલવેના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.