વિરપુર કે સી શેઠ આર્ટસ કોલેજ ખાતે ક્રીડા ભારતી મહીસાગર અને વિરપુર તાલુકા ટીમ દ્વારા ૫ કી.મી. પાવનખિંડ દોડનું આયોજન કરાયું
(પ્રતિનિધી) વિરપુર, મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ક્રિડા ભારતી ટીમ દ્રારા તથા હિન્દુ યુવાવાહીની સ્પોર્ટ્સ ટીમ દ્રારા પાવન ખીંડ દૌડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી પણ વધુ ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો
તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રમત ગમત યુનિવર્સીટી કાઉન્સિલર પ્રો.ડો. અર્જુનસિંહ રાણાની તથા મહીસાગર તીર્થધામ દેગમડા મહંતશ્રી અરવિદગીરી, મહિસાગર જીલ્લા યુવા મોરચાના પ્રમુખ કેતનસિંહ ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ,ક્રીડા ભારતી જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પંડ્યા ,
કિરણસિંહ પૂવાર , ક્રીડા ભારતી તાલુકા અધ્યક્ષ આર. ડી. ઠાકોર , હિન્દુ યુવા વાહીની વિરપુર અધ્યક્ષ નરેન્દ્રસિંહ પરમાર તથા વિરપુર તાલુકાના વડીલો , યુવા કાર્યકર મિત્રો દ્રારા ક્રિડા ભારતી ટીમ દ્રારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ખાસ ફરજ પરના અધિકારી,
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હાજર રહી વિરપુરના ખેલાડીઓને રમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત પાંચ કીમી દોડમાં વિજય થયેલા વિધાર્થીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું…