Western Times News

Gujarati News

રણબીર-આલિયાના લગ્ન સ્થળ પર ઢાંકી દેવાયો વિશાળ પડદો

મુંબઇ, બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તારીખ ૧૫ એપ્રિલના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા હોવાનું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે. ફેન્સ પણ રણબીર-આલિયાના લગ્નના ફોટોગ્રાફ્સ જાેવા માટે આતુર છે.

રણબીર-આલિયાના લગ્ન બાંદ્રામાં આવેલા રણબીર કપૂરના બંગ્લો વાસ્તુમાં યોજાઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં રણબીર-આલિયાના ‘લગ્નસ્થળ’ પર વિશાળ સફેદ પડદો ઢાંકવામાં આવ્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. પ્રાઈવસી માટે લગ્નસ્થળ પર આ વિશાળ પડદો ઢાંક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાલ ત્યાં લગ્નપ્રસંગની તૈયારીમાં વ્યસ્ત વેડિંગ પ્લાનર સિવાય કોઈ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અહીં નોંધનીય છે કે રવિવારે રણબીર-આલિયાના નવા ઘરને લાઈટ્‌સથી શણગારવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ કરતા વધુ સમય ડેટિંગ કર્યા બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ અઠવાડિયે લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંને પરિવારમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહ્યા છે. ક્રિષ્નારાજ બંગલો, ચેમ્બુર સ્થિત આરકે હાઉસ અને અત્યારે રણબીર કપૂર જ્યાં રહે છે તે વાસ્તુ બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવી છે. રણબીર અને આલિયા ૧૫મી એપ્રિલે સાત ફેરા ફરે તેવી શક્યતા છે, જાે કે તારીખ અંગે તેમના દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ બધાની વચ્ચે મળેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે, રણબીર અને આલિયાના લગ્ન ચુસ્ત સુરક્ષાની વચ્ચે થશે. આશરે ૨૦૦ જેટલા બાઉન્સરની ગોઠવણ આ દિવસ માટે કરવામાં આવી છે. આજ તક ડોટ ઈનના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક મહિનાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગેની સિક્યુરિટીની અરેન્જમેન્ટ માટેની તૈયારી ચાલી રહી હતી.

એક્ટ્રેસના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘યુસુફ ભાઈએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં સુરક્ષાની જવાબદારી લીધી છે. તેમની પાસે મુંબઈની બેસ્ટ સિક્યુરિટી ફોર્સ એજન્સી છે.

તેથી તેમને હાયર કરવામાં આવ્યા છે. એજન્સીમાંથી આશરે ૨૦૦ બાઉન્સરને બોલાવવામાં આવ્યા છે. આ સિવાય ડ્રોનથી નજર રાખવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.