Western Times News

Gujarati News

સોનુ નિગમે હજી સુધી નથી જાેઈ The Kashmir Files

મુંબઇ, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ રીલિઝ થઈ ત્યારથી ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ પર વિવાદ પણ ઘણો થયો અને ફિલ્મે બોક્સઓફિસ પર કમાણી પણ ઘણી કરી. ૧૧મી માર્ચના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું. એક મહિનામાં ફિલ્મે ૨૪૮.૬૮ કરોડ રુપિયા કમાણી કરી લીધી છે.

ફિલ્મના નેતાઓથી લઈને અભિનેતાઓ સુધી તમામ લોકોએ વખાણ કર્યા. પરંતુ તાજેતરમાં જ સિંગર સોનુ નિગમે જણાવ્યું કે તેમણે હજી સુધી આ ફિલ્મ નથી જાેઈ. સોનુ નિગમે તેનું કારણ પણ જણાવ્યું છે.

સોનુ નિગમે વાતચીતમાં આ બાબતનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે આખરે તેમણે બહુચર્ચિત ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ હજી સુધી કેમ નથી જાેઈ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જાેઈને મોટાભાગના લોકો રડી પડ્યા હતા અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પણ ઘણી વાહવાહી થઈ છે. પરંતુ સોનુ નિગમ ખાસ કારણોસર આ ફિલ્મથી દૂર રહ્યો છે.

સોનુ નિગમે જણાવ્યું કે, જ્યારે હું આ પ્રકારની વાર્તા સાંભળુ છું તો અંદરથી રડુ છું. આ માત્ર કાશ્મીરની જ વાત નથી. હું આ પ્રકારના તમામ ગુનાઓ પ્રત્યે ઘણો સંવેદનશીલ છું. મારામાં આ ફિલ્મ જાેવાની હિંમત નથી.

મારી સંવેદનશીલતા માત્ર કાશ્મીરી પંડિતો માટે જ નહીં, એ તમામ સમાજના લોકો માટે છે જેમણે આ ધારાને કારણે ઘણું સહન કર્યું છે. સોનુ નિગમે ધ કાશ્મીર ફાઈલ્સ ન જાેઈ શકવાનું અન્ય એક કારણ પણ જણાવ્યું છે.

તેણે જણાવ્યું કે, જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે હું દુબઈમાં હતો. ત્યારે ધ કાશ્મીર ફાઈલ્સ દુબઈમાં રીલિઝ નહોતી થઈ.

પરંતુ ભારત પાછા આવ્યા પછી મારામાં ફિલ્મ જાેવાની હિંમત નહોતી. આ વિશે વાત કરીને પણ સોનુ નિગમ ભાવુક થઈ ગયો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધ કાશ્મીર ફાઈલ્સ બાબતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું.

અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે આ ફિલ્મને યૂટ્યુબ પર અપલોડ કરી દેવી જાેઈએ. આ વાત પર સોનુ નિગમે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમણે અરવિંદ કેજરીવાલનું આ ભાષણ સાંભળ્યુ હતું.

તેમણે કશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે. એક તરફ તમે કહી રહ્યા છો કે અત્યાચાર થયો અને બીજી બાજૂ વિધાનસભામાં કહી રહ્યા છો કે ફિલ્મ ખોટી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.