કોલસા અને વીજળી મુદ્દે અમિત શાહે આર.કે સિંહ સહિત ૪ મંત્રીઓ સાથે બેઠક કરી
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ઉર્જા પ્રધાન આર.કે. સિંહે કોલસા મંત્રી પ્રહલાદ જાેશી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અમિત શાહે દેશભરમાં ચાલી રહેલી કોલસા અને વીજળીની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, નાવેલી લિગ્નાઈટ કોર્પોરેશનના સીએમડી, કોલસા મંત્રાલયના મુખ્ય સંબંધિત અધિકારીઓ ઉપરાંત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર હતા.
રિપોર્ટ અનુસાર, ગૃહ મંત્રાલયમાં આયોજિત આ બેઠકમાં અમિત શાહે દેશમાં ચાલી રહેલી કોલસા અને વીજળીની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકની અધ્યક્ષતા ખુદ ગૃહમંત્રી શાહે કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ૧ કલાકથી વધુ ચાલેલી આ બેઠક દરમિયાન, ૪ મંત્રીઓએ પાવર પ્લાન્ટને કોલસાની ઉપલબ્ધતા અને વર્તમાન વીજ માંગ પર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૧માં જ્યારે દેશમાં કોલસાનું સંકટ હતું, તે સમયે પણ આવી બેઠક યોજાઈ હતી.
રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, ઝારખંડ અને હરિયાણા જેવા ૧૨ રાજ્યોમાં સ્થાનિક પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત હોવાના અહેવાલો છે અને તેના કારણે ૩ થી ૮.૭ ટકા પાવર કટ છે.
એપ્રિલ ૨૦૨૨ ના પ્રથમ પખવાડિયામાં, ઘરેલું વીજળીની માંગ મહિના માટે ૩૮ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. ઑક્ટોબર ૨૦૨૧માં વીજળીની અછત ૧.૧ ટકા હતી, જે એપ્રિલ ૨૦૨૨માં વધીને ૧.૪ ટકા થઈ ગઈ છે. આ સાથે જ કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે પણ આયાતી કોલસાના ભાવમાં ભારે વધારા માટે રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર ગણાવ્યું છે.HS