Western Times News

Gujarati News

પાકિસ્તાને કરતારપુર કોરિડોર પર ગુપ્તચર અધિકારીઓને તૈનાત કર્યા

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખોલવામાં આવેલા કરતારપુર કોરિડોરથી લાખો શ્રદ્ધાળુઓને રાહત મળી છે. હવે શીખ શ્રદ્ધાળુઓ સરળતાથી પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાત લે છે. પરંતુ હવે આ કોરિડોર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન જાસૂસી માટે આ કોરિડોરનો ફાયદો ઉઠાવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા પવિત્ર કરતારપુર સાહિબ કોરિડોરનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કરતારપુર કોરિડોર પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ હાજર છે. આ સાથે આ અધિકારીઓ ભારતથી કરતારપુર જતા શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હવે ભારત દ્વારા કરતારપુર સાહિબ કોરિડોરના ખોટા ઉપયોગ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં રોટરી ક્લબના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે કરતારપુર કોરિડોરનો ઉપયોગ બિઝનેસ મીટિંગ માટે પણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ કોરિડોરનો હેતુ માત્ર અને માત્ર ધાર્મિક યાત્રાઓ કરવાનો છે.

આ હોવા છતાં, બિઝનેસ મીટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો નથી. હાલમાં ભારત દ્વારા પણ આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.