કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોએ ૨૪ કલાકમાં ૪ આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગર,કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી, સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે અને કાશ્મીરી પંડિતોથી લઈને સામાન્ય લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૪ કલાકમાં ૪ આતંકીઓને ઢાળી દીધા છે. સુરક્ષા દળોએ સોમવાર રાતથી મંગળવાર રાત સુધી ૪ આતંકીઓને ઠાર કર્યા છે. કુપવાડામાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે સોપોર અને શોપિયાંમાં એક-એક આતંકવાદી માર્યો ગયો છે.
થોડા દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં બેઠક કરી હતી. આ બેઠકમાં મોદી સરકારની આતંક સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિની યાદ અપાવતા સુરક્ષા દળોને ઘાટીની શાંતિને ખલેલ પહોંચાડનારાઓને શોધીને મારી નાખવાની સૂચના આપવામાં આવી હતી.માર્યા ગયેલા આતંકવાદીઓમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ છે. આ બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા. આતંકીઓમાંથી એકની ઓળખ તુફૈલ તરીકે થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કુપવાડાના ચકતરસ કાંડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
આ પછી આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને જવાબી કાર્યવાહી કરવામાં આવી.૭૨ કલાક દરમિયાન લગભગ ૧૮ આતંકવાદીઓ અને તેમના મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડો ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) સાથે કઠુઆથી કુપવાડા સુધી કરવામાં આવી છે. તેમાં ૨ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓનો સમાવેશ થાય છે જેમણે શોપિયાંમાં આર્મીના વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અને તેમના સહયોગી ગુલામ કાશ્મીરમાં બેઠેલા આતંકવાદી કમાન્ડરોના સતત સંપર્કમાં હતા.HS1KP