Western Times News

Gujarati News

એલર્જીના પરિણામે શ્વાસના ઉપદ્રવની ભારે પીડા સહન કરવી પડે છે

કોઇને ધૂળ, ધૂણી, હવાના ફેરફારો, તીવ્રત્તમ ગંધ કે ફૂલોની મનમોહક સુગંધ પણ અસહ્યનીય લાગે ત્યારે અચાનક શ્વાસનો હુમલો થઇ આવે છે. કોઇને પશુઓની એલર્જીથી શ્વાસ ઉદ્દભવે છે. તો કોઇને ઘઉં સાફ કરવાથી, તો વળી ઘણાને દાળોના અજીર્ણમાંથી ઉત્પન્ન થતો પદાર્થ શ્વાસનળીમાં કે લોહીમાં પહોંચી તેની વિપરીત અસર પેદા થતાં જ શ્વાસનો હુમલો થાય છે. કોઇને ભેજવાળી હવાની એલર્જીના પરિણામે શ્વાસના ઉપદ્રવની ભારે પીડા સહન કરવી પડે છે. છાતી, ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે.

વળી સતત તાવ, ઝાડા-ઉલટીઓ, વારંવાર થતી શરદી, સળેખમ, લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું, ક્ષય વીગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છે. કારણો વીકૃત આહાર, ધુળ-ધુમાડાવાળી જગ્યામાં વસવાટ, ઠંડીની ઋતુ, આઈસક્રીમ, ઠંડાં પીણાં વગેરેનું સેવન દમ થવાનાં કારણો છે.આ ઉપરાંત વધારે પડતો શ્રમ, વધારે પડતી કસરત, વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાં કારણભુત બની શકે છે. હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારીવારીક દુખ, શારીરીક ખોડખાંપણ વીગેરેથી પણ દમ થવાની શક્યતા રહે છે. શ્વાસના ઉપદ્રવ પરત્વે રિપોર્ટોની ફાઇલ લઇ આવતા દર્દીઓ આ રોગ દમ જ છે કે કેમ? એ જાણવા માટે ખૂબ જ આતુર હોય છે.

લક્ષણોઃ – આ રોગ મોટાભાગે ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરમાં ઉધરસ-ખાંસીના વેગ સાથે શરૂ થાય છે. – આ રોગોમાં લૂખી ઉધરસ-ખાંસીનો જાેરદાર હુમલો રાત્રે આવે છે અને અતશિય ખાંસી ખાધા પછી થોડો ચીકાશવાળો કફ નીકળે છે. – આ ઉપદ્રવમાં ખાંસી શરૂઆતથી હુમલો બેસે નહીં ત્યાં સુધી આવ્યા કરે છે અને ખાંસીની સાથે કેટલીક વાર સીટીઓ જેવો અવાજ નીકળે છે. – ક્યારેક અન્ન ઉપર અરુચિ અને ઊલટી-ઊબકાનાં લક્ષણો જણાય છે. જેથી દિનપ્રતિદિન શરીર ખૂબ કૃશ થાય છે અને રોગીને ક્ષય થયો છે એવો ભય લાગ્યા કરે છે પણ ક્ષયનાં બીજા લક્ષણો જણાતાં નથી. લક્ષણ દમના રોગનું મુખ્ય લક્ષણ તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કે શ્વાસ રુંધાય.

તમક શ્વાસમાં શ્વાસ લેતાં મુશ્કેલી થાય છે. રોગી સુઈ જાય તો શ્વાસનો રોગ વધે છે, પણ બેઠેલા રહેવાથી રાહત જણાય છે. ગળામાં દુખાવો અને બોલવામાં મુશ્કેલી થાય છે. જાે કોઈ દવાથી કે દર્દીના પોતાના પ્રયાસથી કફ નીકળી જાય તો રોગીને થોડો આરામ મળે છે. તમક શ્વાસના હુમલા વખતે દર્દીનું મોં સુકાય છે. ગરમ પદાર્થોના સેવનથી તેને આરામ મળે છે, તથા ઠંડા અને કફકારક પદાર્થ ખાવાથી શ્વાસનો વેગ વધે છે. વર્ષા ઋતુમાં જ્યારે આકાશમાં વાદળ છવાઈ જાય તથા શીયાળામાં ઠંડો પવન વાય ત્યારે આ રોગ ઉગ્ર સ્વરુપ ધારણ કરે છે.

જાે તમક શ્વાસ તાજેતરમાં જ થયેલો હોય તો તે સાધ્ય છે. દમના ઉપાયો રોગના પ્રમાણ પર ઉપચાર આધાર રાખે છે. ઉપચારની દૃષ્ટીએ દર્દી સશક્ત, દુર્બળ, વધારે પડતા કફ કે વાયુ પ્રકૃતીવાળા છે તે જાેવું. રોગ વધુ ઉગ્ર હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો વમન કરાવવું. પથ્ય આહાર વીહારના પ્રયોગ સાથે અન્ય ઔષધીઓનો ઉપચાર કરવો જાેઈએ. વમન કરાવ્યા પછી વીરેચન એટલે ઝાડો કરાવવાની ક્રીયા હાથ ધરવી જાેઈએ. જાે રોગી બહુ જ અશક્ત હોય અને વમન કરાવવું શક્ય ન હોય તો કફ બહાર કાઢનારી દવાની સાથે સાથે હળવા ઝાડા કરાવવાની દવાઓ આપવી જાેઈએ.

જ્યારે લોહીની તપાસમાં શ્વેતકણોની વૃદ્ધિ અને ઇઓસિનોફિલિયા વધેલા માલૂમ પડે છે. સામાન્ય રીતે ઇઓસિનોફિલિયા પાંચ ટકા સુધી નોર્મલ મનાય છે. જ્યારે આ રોગમાં તે વધીને ૨૦-૩૦ કે તેથી વધીને ૭૦-૮૦ ટકા સુધી જાેવા મળે છે. – વળી, આ રોગના કારણભૂત આંતરડાના કૃમિ પણ ઝાડાની તપાસમાં મળી આવે છે. એટલે કૃમિની ચિકિત્સા કરવાથી આ રોગ ઝડપથી કાબૂમાં આવી જાય છે. – આ રોગમાં લોહીની તપાસમાં ઇઓસિનોફિલિયા વધેલા હોય છે, જ્યારે દમ-શ્વાસના રોગમાં હોતા નથી. દેખીતી રીતે સુંદર સ્વાસ્થ્ય ધરાવનાર વ્યક્તિને પણ આ રોગ હાંજા ગગડાવી મૂકે છે, જ્યારે આ રોગ પકડ જમાવે છે ત્યારે રોગનો ભોગ બનેલી વ્યક્તિ ખૂબ જ મૂંઝવણ અનુભવે છે.

રોગની ચિકિત્સાઃ ટૂંકમાં માનવી રોગપ્રતિકારક શક્તિ ગુમાવી છે અને શરીરનો અગ્નિ કમજાેર બન્યો છે. તેના ફળસ્વરૂપે જુદાં જુદાં કારણને લીધે ઉદ્દભવતો શ્વાસનો ઉપદ્રવ થાય છે તેમ આયુર્વેદ સ્પષ્ટ માને છે. શરીરની પ્રકૃતી અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર ૧-૧ ચમચો સવાર-સાંજ લેવાથી દમ કાબુમાં રહે છે. એની પૌરુષત્વ પર માઠી અસર થતી હોવાથી પુરુષોએ પ્રયોગ સંયમથી કરવો. ઘઉંનો ક્ષાર બજારમાં તૈયાર મળે છે.

બે વરસ જુનો ગોળ અને સરસવનું તેલ સરખા વજને લઈ બરાબર મસળીને રાખી મુકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન ૧ ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નીયમીત આ પ્રયોગ કરવાથી થોડા દીવસોમાં દમ મટી જાય છે. આ પ્રયોગ ઘણો અસરકારક છે.પીળો શ્વાસ કુઠાર રસઃ શુદ્ધ મનઃશિલ, કાળાં મરી, સમભાગે લઇ વાટી બારીક ચૂર્ણ કરી બાટલી ભરી લેવી. ૧૨૦ મિ.ગ્રામ ત્રણ વખત મધ સાથે લેવાથી શ્વાસનો હુમલો થતો નથી. શ્વાસ દમન ચૂર્ણઃ શેકેલી હિંગ, વાવડિંગ, કઠ, મરી અને સિંધવ સરખે ભાગે લઇ મેળવી બારીક ચૂર્ણ તૈયાર કરવું. એક એક ગ્રામ દિવસમાં બે વાર મધ અને ઘી સાથે લેવું. ઉપયોગઃ આ રસાયણના સેવનથી શ્વાસ અને ખાંસીમાં જલદી ફાયદો થાય છે.

શ્વાસનો અવરોધ તરત ઓછો થઇ જાય છે. તેમ જ હેડકી અને કફ સાથેની ખાંસીનો પણ નાશ કરે છે. ગભરામણ હોય ત્યારે આ ચૂર્ણ તરત ફાયદો કરે છે. આ ઔષધિ દમના હુમલા વખતે શ્વાસના વેગને શમાવવા માટે વાપરવામાં આવે છે. આયુર્વેદિક ઔષધિ પરેજી સાથે લેવાથી આ રોગ હંમેશાં માટે મટી શકે છે. ઘણી રાહત જણાય એટલે પ્રવાહી ખોરાક લેવો. મગને બાફીને કાઢેલું પાણી સવાર-સાંજ બે વખત પીવું. તેમાં થોડા મસાલા નાખવા. ધીમે ધીમે ખોરાક પર ચઢવું. સારું લાગે તો ગરમ ખાખરા કે રોટલી લેવી. બાફેલાં શાક, ફળ લઈ શકાય. સુંઠ નાખી ઉકાળેલું દુધ લેતાં લેતાં ખોરાક પર ચઢવું. શ્વાસનો હુમલો થાય એટલે ઉપવાસ કરવા, જ્યાં સુધી કંઈક આરામ ન જણાય ત્યાં સુધી એટલે કે એક-બે કે ત્રણ-ચાર ટંક સુધી કશું ખાવું નહીં.

માત્ર સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું. જાે કબજીયાત રહેતી હોય તો રાતે એક ચમચી સુંઠનું ચુર્ણ પાણી સાથે લેવું. દવા લેવાની જરુર લાગે તો શ્વાસકુઠાર નામની ટીકડી સવાર, બપોર, સાંજ એક એક પીસીને મધમાં ઘુંટીને ચાટી જવી. સંપુર્ણ રાહત થાય ત્યારે રોજીંદા ખોરાક પર આવવું. રાતે સુર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. હુમલો જ્યારે પણ થાય ત્યારે આ ઉપચાર ફરી કરવો સરગવાના પાનનો રસ પીવાથી શ્વાસનો હુમલો દુર થાય છે. નાની હરડે અને સુંઠના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી ૧-૧ ચમચો ગરમ પાણી સાથે નીયમીત લેવાથી દમ મટે છે. વાવડીંગનું ચુર્ણ ૩ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ અને સીંધવ ૧ ગ્રામ એક મહીના સુધી પાણી સાથે પીવાથી દમ, શ્વાસ અને શરદીમાં ફાયદો થાય છે.

સુંઠ અને ભોંયરીંગણીના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી બબ્બે ગ્રામ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દમ મટે છે. સીતોપલાદી ચુર્ણ ૩ ગ્રામ અને બાલસુધા ૨૫૦ મી.ગ્રા. મધમાં મેળવી સવાર-સાંજ સતત છ મહીના કે તેથીયે વધારે સમય સુધી લેવાથી દમનો રોગ અંકુશમાં આવી જાય છે. પીપળાના સુકાં ફળનો બારીક પાઉડર ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી દમ મટે છે. બધા પીપળાને ફળ આવતાં નથી, પણ અમુક દેશી દવા રાખનારા પીપળાનાં સુકાં ફળ વેચતા હોય છે.સમાન ભાગે સુંઠ અને હરડેનું ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે નીયમીત લેવાથી દમ અને ખાંસીની ફરીયાદ મટે છે. દરરોજ સવાર-બપોર-સાંજ ૧-૧ ચમચી હળદરનો પાઉડર હુંફાળા પાણી સાથે લેવાથી દમ મટે છે. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

ચાર-પાંચ બદામ એક વાડકી પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી દમમાં ફાયદો થાય છે. ઉકાળો તાજાે બનાવીને જ પીવો. વાસી ઉકાળો ફરીથી ગરમ કરીને પીવો નહીં.અરડુસાનાં સુકવેલાં પાન બીડીની જેમ ચલમ કે હુક્કામાં ભરીને દીવસમાં ચારેક વખત-દર ત્રણ કલાકના અંતરે પીવાથી દમ-હાંફની ફરીયાદ મટે છે. આંકડાના દુધના ત્રણથી ચાર ટીપાં એક પતાસા પર પાડી તેને સુકાવા દેવું. પછી પતાસું ખાઈ જવું અને ઉપર એક કપ ગરમ ચા પીવી.

શ્વાસ-દમ રોગમાં આ ઔષધ ઉપચારથી ફાયદો થાય છે. દીવસમાં એક જ વખત આ ઉપચાર કરવો અને આવશ્યક પરેજી પાળવી. બાળકોએ આ ઉપચાર કરવો નહીં.ભારંગમુળ અને સુંઠનું સરખા ભાગે ચુર્ણ બનાવી આદુના રસ સાથે સવાર-સાંજ લેવાથી દમ મટે છે.બહેડાંની છાલના ટુકડા મોંમાં રાખી ચુસવાથી દમમાં અને ઉધરસમાં રાહત થાય છે.અરડુસીનો ઉકાળો ઠંડો કરીને મધ નાખી પીવાથી દમનો રોગ શાંત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.