Western Times News

Gujarati News

અભિનેતા નવાઝુદ્દીન પોતાને મંટો સમજવા લાગ્યો હતો

મુંબઈ, સાહિત્યની દુનિયામાં સઆદત હસન મંટોનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે, જાેકે, તેઓ જે નિખાલસતા સાથે તેમની વાર્તાઓમાં સમાજને ઉજાગર કરતા હતા તે સમાજના ઠેકેદારોએ સહન ન કરી શક્યા.

જાેકે, મંટો ફિલ્મમાંની બાયોપિક ‘મંટો’માં સમાજની વાસ્તવિકતા કહેવામાં આવી છે, જેનું નિર્દેશન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું છે અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પડદા પર મંટોને ભજવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ એવું નહોતું વિચાર્યું કે પડદા પર મંટોની ભૂમિકા ભજવવી અન્ય કોઈ પાત્ર કરતાં વધુ મુશ્કેલ હશે.

નવાઝુદ્દીને મંટોના ગુણો આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો જેથી તે પાત્રને યોગ્ય રીતે ભજવી શકે. તે મંટોના પાત્રમાં એવી રીતે આવી ગયો કે તે પોતાને મંટો સમજવા લાગ્યો અને આ વાત તેના પર આવી ગઈ, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ તેણે ર્નિભયતાથી સાચું બોલવાનું શરૂ કર્યું, જેના કારણે તેને ઘણું સહન કરવું પડ્યું. ફિલ્મ ‘મંટો’ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. તે જ સમયે, નવાઝુદ્દીન પણ ઘણા વિવાદોમાં ઘેરાયેલા હતા.

નવાઝુદ્દીને મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે, ‘મન્ટો જેવું પાત્ર ભજવવાની મારા પર ઊંડી અસર પડે છે. શૂટિંગ પૂરું થયાના ૧૦ થી ૧૨ દિવસ સુધી હું પાત્રની માનસિક સ્થિતિમાં હતો.’ તેણે નિર્દેશક નંદિતાને કહ્યું કે આ પાત્ર મારા પર પ્રભુત્વ ધરાવે છે અને તે મારા મગજમાંથી ઝડપથી બહાર આવવું જાેઈએ, જાે આવું નહીં થાય તો તે મારા માટે ખૂબ જ નુકસાનકારક છે.

વાસ્તવમાં નવાઝુદ્દીન સિદ્દીકી રિયલ લાઈફમાં પણ ખૂબ જ સાચો અને ઈમાનદાર બની ગયો હતો. તેણે વધુમાં કહ્યું કે, ‘મેં વધારે સાચું બોલવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે મારી પ્રોબલેમ પણ વધી ગઈ હતી.’ કામની વાત કરીએ તો નવાઝુદ્દીન માટે વર્ષ ૨૦૨૩ ખૂબ જ સારું રહેવાની આશા છે. આવતા વર્ષે તેની ફિલ્મો અને શો ‘આફવાહ’, ‘બોલ ચૂડિયાં’ અને ‘ફરઝી’ રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.