Western Times News

Gujarati News

74મા ગણતંત્ર દિવસની ઉજવણી શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સવારે ૯ કલાકે ધ્વજવંદન કરાવશે-અમદાવાદ જિલ્લાના કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલની ઉપસ્થિતિમાં શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું

અમદાવાદ જિલ્‍લાના જિલ્‍લાકક્ષાના રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અમદાવાદના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરાવશે. 74મા ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના કલેક્ટર શ્રી ડો. ધવલ પટેલની ઉપસ્થિતિમાં શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ યોજાયું હતું.

અમદાવાદના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મંત્રીશ્રી ધ્વજવંદન બાદ પરેડનું નિરીક્ષણ કરશે તથા સલામી કૂચ પણ નિહાળશે. ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે શાળાના બાળકો વિદ્યાર્થીઓ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

ધ્વજવંદન સમારોહમાં રજૂ થનાર પરેડમાં વિવિધ પ્લાટુન સલામી કૂચ પણ કરશે. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.