શહેરા પોલીસ તંત્રે ગેરકાયદે કતલખાનાની ત્રણ ઓરડીઓ પર બુલડોઝર ફેરવ્યા

ગોધરા, શહેરા નગર પાલિકા વિસ્તારમાં કબ્રસ્તાન પાછળ જતા રસ્તા ઉપર આવેલા ગેરકાયદે ચાલી રહેલા ધમધમતા કતલખાના ઉપર શહેરા પોલીસ તંત્રએ પાંચ મહિનાઓ પૂર્વે સપાટો બોલાવીને કસાઈઓ સામે સખ્ત કાર્યવાહીઓ હાથ ધરી હતી આ ગેરકાયદે કતલખાના માટે કસાઈઓ દ્વારા જે ત્રણ ઓરડીઓ ગેરકાયદે બનાવીને અબોલ પશુઓને ગોધી રાખીને કુર્તાપૂર્વક કત્લ કરવામાં આવતી હતી આ કતલખાના ની ત્રણ ઓરડીઓને શહેરા પોલીસ તંત્રએ સ્થાનિક વહીવટી તંત્ર ની હાજરીમાં બુલડોઝર બાબાની જેમ તોડી પાડતા કસાઈઓની અંધારી આલમમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે..
૫ માસ અગાઉ શહેરા કબ્રસ્તાન પાછળ ગેરકાયદેસર ગૌમાંસ અને જીવિત ૧૨ જેટલા પશુઓને શહેરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને જે મકાનોમાં મળી આવ્યા હતા તે મકાનોના મૂળ માલિકની જમીનમાં ઉભા કરાયા હોવાનું માલિકની જાણ બહાર હતું આથી પોલીસ દ્વારા જે તે સમયે પાલિકા અને કસ્બા તલાટીને બોલાવી તેની ખરાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાલિકા દ્વારા ૩ વખત આ જગ્યાએ નોટિસ ચોંટાડવામાં આવી હતી પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા બુધવારના રોજ શહેરા નગરપાલિકાના એસ.આઈ જીતેન્દ્રસિંહ રાઠોડની અગુવાઈમાં શહેરા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરા કબ્રસ્તાન પાછળ આવેલી સર્વે નંબર ૫૮૦/૧ અને ૫૮૦/૨ જમીનમાં જે પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું તેની મુદત પૂર્ણ બાદ જમીન માલિક દ્વારા બાંધકામ અંગેના યોગ્ય પૂરાવા રજૂ ન થતા તોડી પાડવામાં આવ્યું હતું.