Western Times News

Gujarati News

કૂતૂબ મહેમૂદ દાદા સોહરવરદીની દરગાહ ખાતે ૬૮૬માં ઉર્ષની ઉજવણી કરાશે

(પ્રતિનિધિ)વિરપુર, ગુજરાત રાજ્યના મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકા ના કારંટા ખાતે આવેલ કોમી-એકતાની જીવંત મિસાલ એવી કૂતૂબ મહેમૂદ દાદા સોહરવરદીની દરગાહ ખાતે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વરસે પણ ૬૮૬ માં ઉર્ષ ની શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. તા-૧૭-૩-૨૦૨૩ ને શુક્રવાર ના દિવસે રાત્રે ઈશાની નમાજ બાદ સંદલ શરીફ (ચંદન)ની વિધિ ઈસ્લામિક વાતાવરણમાં કરવામાં આવશે અને તા-૧૮-૩-૨૦૨૩ શનિવારના રોજ ઉર્ષ ઉજવવામા આવશે.

દરગાહ કમિટી દ્દવારા તૈયારીઓ કરવામાં આવી રહીછે..આ ગુજરાત ની એવી દરગાહ છે જ્યા હિન્દુ-મુસ્લિમનો કોઈ ભેદભાવ જાેવા મળતો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સહિત ગુજરાતના ખુણે-ખુણા થી લાખો દર્શનાથી ઓ આ ઉર્ષ નો લાભ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દુઆ-પ્રાથનાઓ કરી ધન્યતા અનુભવતા નજરે પડે છે. લોક-સેવા એજ પ્રભુ-સેવા ઉકત પંકતિ ને સાથૅક કરતાં કારંટા ગામ ના જનસેવા ટ્રસ્ટ ના નવયુવાનો મળીને છેલ્લા છ માસ ઉપરાત ના સમયથી દરરોજ સાજે લંગર નિશુલ્ક ભોજન પિરસવામાં આવી રહ્યુછે જે માનવતાની મહેક દર્શાવતો જીવંત દાખલો અહીં જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.