Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત,બે લોકોના મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતો ખેતરે જતા મજૂરોનું ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાઇ હતી. ઘટના સ્થળે જ બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો બીજી તરફ ૧૫થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.

તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.