બંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસા મામલે BSFનો ચોંકાવનારો ઘટસ્ફોટ

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં શનિવારે યોજાયેલી પંચાયત ચૂંટણી દરમિયાન છ જિલ્લામાં ૧૬ લોકોના મોત થયા હતા. આ સાથે જ એક મહિનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૩૫ થઈ ગઈ છે. ૮ જૂને ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ૭ જુલાઈ સુધી ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે.
૮ જુલાઈના રોજ ૧૬ મૃત્યુમાંથી ૧૩ મુર્શિદાબાદ, કૂચ બિહાર અને માલદામાં નોંધાયા હતા. સૌથી વધુ પાંચ મોત મુર્શિદાબાદમાં થયા છે. અહીં ૨૦૦ લોકો ઘાયલ પણ થયા છે.
જ્યારે, સૌથી વધુ ટીએમસીના ૯ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. CPI(M)ના ૩ લોકો માર્યા ગયા. જલપાઈગુડી હિંસામાં આઠ પત્રકારો ઘાયલ થયા હતા.
Only in West Bengal a man can cast 20 votes in one go 🙌
— Rishi Bagree (@rishibagree) July 9, 2023
મતદાન મથકો પર સુરક્ષા દળો તહેનાત ન હોવાના અહેવાલો પર, BSF ડીઆઈજી એસએસ ગુલેરિયાએ કહ્યું કે ચૂંટણી પંચે તેમને રાજ્યના સંવેદનશીલ બૂથ વિશે જાણ કરી નથી. તેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે માહિતી આપવાની જવાબદારી જિલ્લા તંત્રની છે.