Western Times News

Gujarati News

વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ભગવા રંગમાં જાેવા મળશે

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં એક બાદ એક વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કરવામાં આવ્યુ રહ્યું છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના બે મોટા શહેરોને એક બીજા સાથે જાેડવા માટે અને મુસાફરો ટૂંક સમયમાં પોતાના મુકામે પહોંચી જાય છે.

વંદેભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધી આ ટ્રેનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. લોકો દ્વારા આપવામાં આવતા ફીડ બેકને ધ્યાને રાખીને ટ્રેનમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન ભગવા રંગમાં જાેવા મળશે. રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ દ્વારા ભગવા કલરની ટ્રેનના ફોટા ટિ્‌વટર પર શેર કરવામાં આવ્યા છે.

ભગવા કલરની વંદેભારત ટ્રેન હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ અત્યારે ચેન્નાઈના ઈંટીગ્રલ કોચ ફેક્ટરીમાં આ ભગવા રંગની ટ્રેનોને રાખવામાં આવી છે. અહીં વંદેભારત ટ્રેનને બનાવવામાં આવે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વંદે ભારત એક્સપ્રેસના કુલ ૨૫ રેક નિધારિત માર્ગો પર દોડી રહ્યા છે અને જ્યારે બે રેકને રિઝર્વ રાખવામાં આવ્યા છે. ૨૮માં રેકમાં પરિક્ષણના ભાગરૂપે ટ્રેનના રંગને બદલવામાં આવ્યો છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઈંટીગ્રલ કોચ ફેક્ટરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ દરમિયાન દક્ષિણ રેલવેમાં સુરક્ષાના ઉપાયો અને વંદેભારત એક્સપ્રેસની સુધારાની સમીક્ષા કરી હતી. ટ્રેનના નિરીક્ષણ બાદ કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યુ હતુ કે, સ્વદેશી ટ્રેનના ૨૮માં રેકના રંગને બદલવામાં આવ્યો છે. આ નવો રંગ ભારતીય તિરંગાથી પ્રેરિત છે.

મંત્રીજીએ વધુમાં કહ્યુ કે, વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં અત્યાર સુધી ૨૫ સુધારા કરવામાં આવ્યા છે. આ ટ્રેન મેક ઈન ઈન્ડિયામાં બનાવવામાં આવી છે. ભારતીય એન્જિનિયરો અને ટેક્નીશિયનો દ્વારા આ ટ્રેનને ડિઝાઈન કરવામાં આવી છે. આ કારણે મુસાફરો વંદેભારત ટ્રેન અંગે ફીડબેક આપી રહ્યા છે.

અમે તમામ ફીડબેકને ધ્યાને રાખીને સુધારા વધારા કરી રહ્યા છીએ. નવી સુરક્ષા વ્યવસ્થા, એન્ટી ફ્લાઈંબર્સ અથવા તો એન્ટી ફ્લાઈંબિંગ ડિવાઈસ પર કામ ચાલુ છે. રેલવે મંત્રી દ્વારા આ અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.