Western Times News

Gujarati News

કરિશ્મા કપૂરને પ્રેગ્નેન્સીમાં સાસુએ મારી હતી થપ્પડ

મુંબઈ, કરિશ્મા કપૂર નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. તે સમય દરમિયાન કરિશ્માનું સ્ટારડમ એટલું વધારે હતું કે દરેક મોટા કલાકાર તેની સાથે કામ કરવા માટે બેતાબ રહેતા હતા. અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ હતી. પોતાની પ્રોફેશનલ કરિયરમાં ખૂબ જ સફળ રહેલી કરિશ્મા કપૂરની રિયલ લાઈફમાં ઘણા દર્દ છૂપાયેલા છે. તેમણે લગ્ન કર્યાં પરંતુ આ લગ્ન તેમના માટે દુઃખદાયક બની ગયા હતા. ચાલો આજે આ અહેવાલમાં જાણીએ હંમેશા હસતી રહેતી કરિશ્મા કપૂરની રિયલ લાઈફ સ્ટોરી.

કરિશ્મા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફમાં જેટલી સફળ રહી છે તેટલી જ તેના અંગત જીવનમાં પણ એટલી જ નિષ્ફળ રહી છે. અભિનેત્રીએ ૨૦૦૩માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરિશ્મા આંખોમાં ઘણાં સપનાં લઈને સાસરે પહોંચી ગઈ હતી, પરંતુ લગ્નની પહેલી જ રાત્રે જ્યારે તેને પતિ સંજય કપૂરની વાસ્તવિકતાની ખબર પડી ત્યારે તેના બધાં સપનાં તૂટી પડ્યાં હતા. કરિશ્મા માટે તેના લગ્ન જીવનની સૌથી મોટી ભૂલ બની ગયા હતા.

લગ્ન બાદ કરિશ્મા કપૂરને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો.અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેના પતિથી લઈને તેના સાસરિયાઓ અને તેના પતિના મિત્રો સુધી બધાએ તેને ખૂબ જ પીડા આપી હતી. કરિશ્મા કપૂરે એકવાર ઈન્ટરવ્યુ દરમિયાન જે રહસ્ય જાહેર કર્યું તે ખરેખર ચોંકાવનારું હતું.

વાસ્તવમાં, તેણે એવી વાતો કહી કે કોઈનું પણ દિમાગ સ્તબ્ધ થઈ જાય. કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે સંજય કપૂર લગ્ન બાદથી તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. અભિનેત્રીએ પોતે ખુલાસો કર્યો હતો કે હનીમૂન પર સંજય કપૂરે કરિશ્મા કપૂરને તેના મિત્રો સાથે સૂવા માટે મજબૂર કરી હતી, એટલું જ નહીં, તેણે તેના મિત્રોને કરિશ્મા કપૂર સાથે સૂવાની કિંમત પણ જણાવી હતી. જ્યારે કરિશ્મા કપૂરે ના પાડી તો સંજયે તેને મારવાનું શરૂ કરી દીધું હતું.

કરિશ્મા કપૂરે વધુમાં કહ્યું હતું કે, તેની પ્રેગ્નન્સી દરમિયાન કરિશ્મા કપૂરને તેની સાસુએ થપ્પડ મારી હતી અને સંજયે તેના ભાઈને કરિશ્મા પર નજર રાખવા કહ્યું હતું. આ દરમિયાન કરિશ્મા કપૂરે પણ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. બે બાળકો થયા પછી પણ કરિશ્મા અને સંજય કપૂરના સંબંધોમાં કોઈ સુધારો થયો નહોતો.

જ્યારે તે પીડા સહન કરવાની સીમા પાર કરી ગઈ ત્યારે કરિશ્મા કપૂરે સંજય કપૂરને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો. લગ્નના ૧૧ વર્ષ બાદ કરિશ્મા કપૂરે ૨૦૧૬માં સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. જો કે, તેમના છૂટાછેડા પણ સરળ નહોતા. સંજયે કરિશ્મા પર પૈસા માટે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કરિશ્માએ સંજય પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા અને ઘરેલું હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો. બંને વચ્ચે બાળ કસ્ટડીનો મુદ્દો પણ હતો. બાદમાં કોર્ટે બંને પક્ષો સમક્ષ કેટલીક શરતો મૂકી હતી, જે સ્વીકાર્યા બાદ જ તેમના છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા હતા. કરિશ્મા કપૂર સિંગલ મધર તરીકે બાળકોનો ઉછેર કરી રહી છે.

હાલમાં, કરિશ્મા કપૂર સિંગલ મધર છે અને તેના બે બાળકો કિયાન અને સમાયરાનો ઉછેર કરી રહી છે. સંજય કપૂરે ૨૦૧૭માં તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.