Western Times News

Gujarati News

એવું તે શું થયું કે BJPના નેતા ઉપર 24 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવાયો

કોલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર જસ્ટીસ  અભિજિત ગંગોપાધ્યાયની સખત નિંદા કરી છે.

તેમણે ૨૧ મેના રોજ સાંજે ૫ વાગ્યાથી આગામી ૨૪ કલાક માટે ભાજપના ઉમેદવારને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કમિશને ભાજપના નેતાને આદર્શ આચાર સંહિતા હેઠળ તેમના જાહેર નિવેદનોમાં સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે. ECI slaps 24-hour campaign bar on BJP’s Justice Abhijit Gangopadhyay for remarks against Mamata Banerjee

હકીકતમાં, ૧૫ મેના રોજ હલ્દિયામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપના ઉમેદવાર ગંગોપાધ્યાયે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. ચૂંટણી પંચે ગંગોપાધ્યાયને કારણ બતાવો નોટિસ (શો કોઝ નોટીસ) મોકલીને ૨૦ મેના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો હતો.

ECI slaps 24-hour campaign bar on BJP’s Justice Abhijit Gangopadhyay for remarks against Mamata

ગંગોપાધ્યાય વર્તમાન લોકસભા ચૂંટણીમાં ચોથા એવા રાજકારણી છે જેમને મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ નોટિસ મોકલવામાં આવી છે. તે જ સમયે, બીજેપીના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ અનુક્રમે મમતા બેનર્જી અને કંગના રનૌત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પછી ચૂંટણી પંચે બંનેને કારણ બતાવો નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો અને ટિપ્પણીઓની નિંદા કરી હતી. બંનેનું કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.