Western Times News

Gujarati News

હૈદરાબાદ હવે માત્ર તેલંગાણાની રાજધાની રહેશે

નિર્ધારિત સમય સમાપ્ત થયા પછી આંધ્રના અધિકારો સમાપ્ત થઈ જશે

૨૦૧૪ માં અવિભાજિત આંધ્ર પ્રદેશના વિભાજન સમયે, હૈદરાબાદને ૧૦ વર્ષ માટે બંને રાજ્યોની રાજધાની બનાવવામાં આવી હતી

નવી દિલ્હી,હૈદરાબાદ, તેલંગાણા અને આંધ્રપ્રદેશની સામાન્ય રાજધાની હવે રહી નથી. ૨ જૂનથી હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની બની ગયું છે. ૨૦૧૪ માં અવિભાજિત આંધ્ર પ્રદેશના વિભાજન સમયે, હૈદરાબાદને ૧૦ વર્ષ માટે બંને રાજ્યોની રાજધાની બનાવવામાં આવી હતી.તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ અસ્તિત્વમાં આવ્યું.

આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં જણાવવામાં આવ્યું છે કે, “૨જી જૂનના દિવસથી, હાલના આંધ્ર પ્રદેશ રાજ્યમાં હૈદરાબાદ એ દસ વર્ષથી વધુ સમયગાળા માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યની સામાન્ય રાજધાની રહેશે.”પુનર્ગઠન અધિનિયમે કહ્યું, “પેટા-કલમ (૧) માં સમયગાળો (નિર્ધારિત) સમાપ્ત થયા પછી, હૈદરાબાદ તેલંગાણા રાજ્યની રાજધાની રહેશે અને આંધ્ર પ્રદેશ રાજ્ય માટે નવી રાજધાની હશે.

”દાયકાઓ જૂની માંગના પરિણામે ફેબ્›આરી ૨૦૧૪માં સંસદમાં આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ પસાર થયા બાદ ૨ જૂન ૨૦૧૪ના રોજ તેલંગાણાની રચના કરવામાં આવી હતી.તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ગયા મહિને અધિકારીઓને હૈદરાબાદમાં લેક વ્યૂ સરકારી ગેસ્ટ હાઉસ જેવી ઇમારતો કબજે કરવા કહ્યું હતું, જે ૨ જૂન પછી આંધ્ર પ્રદેશને ૧૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવી હતી.

અલગ થયાના દસ વર્ષ પછી પણ આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે સંપત્તિના વિભાજન જેવા ઘણા મુદ્દા હજુ પણ વણઉકેલ્યા છે.તેલંગાણા સરકારે કેબિનેટની બેઠકમાં વિભાજન-સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે તેને મંજૂરી આપી ન હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.